છોટાઉદેપુર : ST બસના ચાલકને ચક્કર આવતા બસ ઝાડ સાથે અથડાઈ, સદનસીબે મોટી જાનહાનિ ટળી...
છોટાઉદેપુરથી વલસાડ જતી એસટી બસના ચાલકને ચાલુ બસે ચક્કર આવતા રસ્તાના કિનારે બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
BY Connect Gujarat Desk11 March 2023 11:19 AM GMT
X
Connect Gujarat Desk11 March 2023 11:19 AM GMT
છોટાઉદેપુરથી વલસાડ જતી એસટી બસના ચાલકને ચાલુ બસે ચક્કર આવતા રસ્તાના કિનારે બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે, આ અકસ્માતમાં સદનસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જીલ્લાના એસટી ડેપોમાંથી બસ નંબર GJ-18-Z-7707માં મુસાફરો વલસાડ તરફ જવા રવાના થયા હતા. આ દરમ્યાન બસના ચાલક ઇન્દ્રજીત રાઠવા બસ ચલાવી રહ્યા હતા, ત્યારે ચાલુ બસે ચક્કર આવતા તેઓએ બસના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. છોટાઉદેપુરથી 6 કિલોમીટર દૂર સિંગલાઘાટી નજીક બસ રસ્તાના કિનારે ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત સર્જાતા બસનો કચ્ચરઘાણ બોલી ગયો હતો, જ્યારે બેભાન બસ ચાલકને 108 મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સદનસીબે અકસ્માતમાં બસમાં સવાર અન્ય મુસાફરોને કોઈ જાનહાની થવા પામી ન હતી.
Next Story