કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે અમદાવાદમાં, પરિવર્તન સંકલ્પ સંમેલનને કરશે સંબોધિત
ગુજરાતના 52 હજાર બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે. જેને લઈ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે
BY Connect Gujarat Desk4 Sep 2022 7:44 AM GMT
X
Connect Gujarat Desk4 Sep 2022 7:44 AM GMT
રાહુલ ગાંધી અમદાવાદમાં યોજાનાર પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલનમાં હાજરી આપશે અને પાર્ટીના 52 હજાર બુથ કાર્યકરો સાથે સંવાદ કરશે જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે
રાહુલ ગાંધી ગુજરાત વિધાનસભા ચૂંટણી રણશિંગું અમદાવાદની ધરતી પરથી ફૂંકશે. રાહુલ ગાંધી ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ બુથ સ્તરીય સંમેલનમાં હાજરી આપશે. ગુજરાતના 52 હજાર બુથ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ રાહુલ ગાંધી કરશે. જેને લઈ અમદાવાદના રિવરફ્રન્ટ પર વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે આ ડોમમાં 50 હજારથી વધુ કાર્યકરો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.પરિવર્તન સંકલ્પ બુથ સંમેલનમાં અશોક ગેહલોત સહિત સિનિયર નેતા હાજર રહેશે પ્રદેશના તમામ ધારાસભ્યો અને હોદેદારોને પણ આ સમેલનમાં હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે
Next Story