નર્મદા : એકતાનગર ખાતે રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં સંવિધાન હત્યા દિવસ 2025નો કાર્યક્રમ યોજાયો

કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ – 2025નો કાર્યક્રમ યોજાયો

New Update
  • સંવિધાન હત્યા દિવસની ઉજવણી

  • એકતાનગર સ્થિત યોજાયો કાર્યક્રમ

  • રાજ્યમંત્રીની ઉપસ્થિતમાં યોજાયો કાર્યક્રમ

  • દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ થયા પૂર્ણ

  • સિગ્નેચર કેમ્પેઇનમાં પણ સૌએ લીધો ભાગ 

ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ – 2025નો કાર્યક્રમ યોજાયો હતો.

નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે ગુજરાતના આદિજાતિ શ્રમ રોજગાર અને ગ્રામવિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં દેશમાં કટોકટી લગાવ્યાના 50 વર્ષ પૂર્ણતાના અવસરે સંવિધાન હત્યા દિવસ – 2025નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સંવિધાન અને લોકશાહીના મૂલ્યોના જતન માટે નાગરિકોને પ્રાસંગિક પ્રવચનડોક્યુમેન્ટરી ફિલ્મ તેમજ નાટ્ય દ્વારા રાજ્યકક્ષાએથી યોજાયેલા કાર્યક્રમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા.

રાજ્યકક્ષાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતેથી યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળી મુખ્યમંત્રીને પણ સૌએ ઓનલાઈન માધ્યમથી સાંભળ્યા હતા. કાર્યક્રમ બાદ એકતા ઓડિટોરિયમની બહાર સિગ્નેચર કેમ્પેઇનમાં સૌએ ભાગ લઈ બોર્ડ પર સહી કરી હતી,અને કટોકટીની સમયરેખા અંગેનું પ્રદર્શન નિહાળ્યું હતું. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે એકતાનગર સ્થિત એકતા ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કેભારત દેશમાં વર્ષ ૧૯૭૫માં આજના દિવસે તત્કાલિન સરકાર દ્વારા લોકશાહીને બાજૂએ રાખી દેશભરમાં આજના દિવસે કટોકટી લાગુ કરી હતી. કોઈપણ કારણ વિના બળજબરીથી સરકાર સામે અવાજ ઉઠાવનારા લોકો-આગેવાનો અને નાગરિકોને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા હતા. આ કટોકટીના સમયમાં લડત આપનારારાષ્ટ્રમાટે સમર્પિત અને જે લોકો તેમાં ભોગ બન્યા તે તમામને યાદ કરવા માટેનો આ દિવસ છે. કટોકટી લાગુ થવાથી દેશની અર્થવ્યવસ્થા પર વિપરીત અસર થઈ હતી. તેથી જ લોકતંત્રને ટકાવી રાખવા અને વ્યક્તિ સ્વાતંત્રયના અધિકારોને જાળવી રાખવા માટે આ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે સૌ નાગરિકોને તેમાં સહભાગી બનવા તેઓએ આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ,જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીપૂર્વ મંત્રી શબ્દશરણ તડવીજિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંગીતા તડવીજિલ્લા કલેકટર એસ.કે. મોદીસ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેક્ટર ગોપાલ બામણીયાનાંદોદના પ્રાંત અધિકારી ડો.કિશનદાન ગઢવીજિલ્લા રમત વિકાસ અધિકારી  દિનેશ ભીલમાય ભારત નર્મદાના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ચંદ્રકાન્ત બક્ષીનાયબ કલેક્ટરસંગઠનના અગ્રણીઓકાયદા નિષ્ણાંતોમાય ભારતના સ્વયંસેવકો અને જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો મળશે લાભ

નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી

New Update
content_image_0a7120b7-9ca1-401c-8c9e-3a7c85534313

નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાત સરકારે રાજ્યના નાગરિકોને આરોગ્યની મોટી ભેટ આપી છે. 'પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના' (PMJAY)ના 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે, 'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના'નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવી યોજના હેઠળ, રાજ્યના 6.42 લાખથી વધુ સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. આ ઉપરાંત, રાજ્યના આરોગ્ય માળખાને વધુ મજબૂત કરવા માટે 94 નવી 108 એમ્બ્યુલન્સને પણ સેવામાં સામેલ કરવામાં આવી છે, જેથી હવે રાજ્યમાં કુલ 1549 એમ્બ્યુલન્સ નાગરિકોની સેવા માટે ઉપલબ્ધ છે.

ગુજરાતમાં PMJAY યોજનાને 7 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બે મોટી જાહેરાતો કરી છે. આ પહેલથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રને વધુ વેગ મળશે.

'ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના' હેઠળ રાજ્યના 6.42 લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સને આરોગ્ય સુરક્ષા કવચ મળશે. આ યોજનાથી તેમને ₹10 લાખ સુધીની કેશલેસ સારવારનો લાભ મળશે. સરકાર આ યોજના પાછળ વાર્ષિક ₹303.5 કરોડનો ખર્ચ કરશે.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 2018 થી 2025 સુધીમાં PMJAY યોજના હેઠળ 2.92 લાખ લાભાર્થીઓ પાસે આયુષ્માન કાર્ડ પહોંચ્યા છે. આ યોજના હેઠળ કુલ 51.27 લાખ દાવાઓ માટે ₹13,946.53 કરોડની ક્લેઇમ ચૂકવણી કરવામાં આવી છે. હાલમાં, રાજ્યમાં 2,708 હોસ્પિટલો (943 ખાનગી અને 1,765 સરકારી) આ યોજના સાથે જોડાયેલી છે, જ્યાં 2,471 વિવિધ પ્રોસિઝરનો લાભ ઉપલબ્ધ છે.

આરોગ્યમંત્રીએ 108 સેવા વિશે વિગતવાર માહિતી આપતા જણાવ્યું કે:

  • રોજની સેવા: દરરોજ સરેરાશ 4,300 થી 4,500 જેટલા દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે.
  • પ્રતિસાદ: 108 પર આવતા 99% કોલનો પ્રથમ બે રિંગમાં જ જવાબ આપવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય ધોરણ કરતાં પણ વધુ છે.
  • બચાવેલ જીવ: અત્યાર સુધીમાં 1.77 કરોડથી વધુ નાગરિકોને સેવા આપવામાં આવી છે અને 17 લાખથી વધુ કટોકટીની પરિસ્થિતિમાં મૂકાયેલી જિંદગીઓને બચાવવામાં આવી છે.
  • પ્રસૂતિ સહાય: 108 એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા 58.70 લાખથી વધુ સગર્ભા માતાઓને મદદ કરવામાં આવી છે, અને 1.52 લાખથી વધુ પ્રસૂતિઓ સ્થળ પર જ કરાવવામાં આવી છે.
  • એર અને બોટ એમ્બ્યુલન્સ: ભારતમાં પ્રથમ વખત ગુજરાત સરકારે એર એમ્બ્યુલન્સ સેવા પણ શરૂ કરી છે, જેના દ્વારા અત્યાર સુધીમાં 72 ઓર્ગન અને ગંભીર દર્દીઓનું પરિવહન કરવામાં આવ્યું છે. ઉપરાંત, પોરબંદર અને ઓખા ખાતે 108 બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે.