દાહોદ : હોટલમાં નોકરી કરતા 7 બાળમજૂરો મળી આવ્યા, હોટલ માલિક વિરુદ્ધ બાળ કલ્યાણ સમિતીની કાર્યવાહી..!

આદિવાસી બાહુલ્ય ધરાવતા તેમજ પછાત વિસ્તાર તરીકે ગણાતા દાહોદ જિલ્લામાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે

New Update
દાહોદ : હોટલમાં નોકરી કરતા 7 બાળમજૂરો મળી આવ્યા, હોટલ માલિક વિરુદ્ધ બાળ કલ્યાણ સમિતીની કાર્યવાહી..!

દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ રેસ્ટોરન્ટમાંથી 7 જેટલા બાળ મજૂરો મળી આવતા નોકરી પર રાખનાર હોટલ માલિક સહીત આ ગુન્હામાં સંડોવાયેલ તમામ લોકો વિરુદ્ધ બાળ કલ્યાણ સમિતી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આદિવાસી બાહુલ્ય ધરાવતા તેમજ પછાત વિસ્તાર તરીકે ગણાતા દાહોદ જિલ્લામાં બાળમજૂરીનું દુષણ વ્યાપક પ્રમાણમાં ફેલાયેલું છે પરિવારોની આર્થિક સંકળામણ નાના અને ગરીબ પરિવારોમાંથી આવતા પરિવારોના નાના બાળકો ભણવાની ઉંમરે બાળ મજુરી કરવા મજબૂર બન્યા છે પરિવારની આર્થિક પરિસ્થિતિ તેમજ તેમના મા-બાપને આર્થિક રીતે મદદરૂપ કરવા માટે નાના બાળકો ભણતર છોડી બાળ મજૂરીમાં જોતરાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. તેવામાં દાહોદ જિલ્લામાં શ્રમ રોજગાર કચેરી દ્વારા ટાસ્ક ફોર્સનું ગઠન કરી બાળ મજૂરી નાબૂદી અંગેનું એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. જે અંતર્ગત દાહોદ શહેરના રેલવે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની રેસ્ટોરન્ટમાં ટાસ્ક ફોર્સ દ્વારા ઓચિંતો દરોડો પાડતા 7 જેટલા બાળમજૂરો મળી આવ્યા હતા. આ તમામ બાળમજૂરોને બાળ કલ્યાણ સમિતિ ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમજ તેમના વાલી વારસોને બોલાવી દસ્તાવેજ અંગેની ખરાઈ કર્યા બાદ તેઓના બાળકોને પુનઃ બાળ મજૂરીએ ન મોકલવાની શરતે પુનઃ સ્થાપન માટે ઘરે મોકલવામાં આવ્યા હતા. જોકે, એક જ હોટલમાંથી પકડાયેલા 7 બાળમજૂરો પૈકી 3 બનાસકાંઠાના, 1 રાજસ્થાનનો, 1 નેપાલનો અને 2 દાહોદ જિલ્લાના મળી 7 જેટલા બાળ મજૂરોને નોકરી પર રાખનાર હોટલ માલિક તેમજ આ બાળ મજૂરોને મજૂરીએ લાવનાર ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

જુનાગઢ :  ભવનાથ ક્ષેત્રમાં ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણીમાં તરબોળ બન્યા ભક્તો,ગુરુવંદના,મંત્રોચ્ચારની ઉઠી ગુંજ

જૂનાગઢમાં ભવનાથમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.વિવિધ આશ્રમમાં ખાસ મંત્રોચ્ચાર, હવન, પૂજન, ગુરુવારણ

New Update

ભવનાથમાં ગુરૂપૂર્ણિમાની કરાઈ ભવ્ય ઉજવણી

ગુરુને પામવાનો દિવસ એટલે ગુરૂપૂર્ણિમા

પુનિત આશ્રમમાં ભાવિકોએ કર્યું ગુરુ પૂજન

પુનિત આશ્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો રહ્યા ઉપસ્થિત

ભજન કિર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા

જૂનાગઢમાં ભવનાથમાં અષાઢ સુદ પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વને લઈને ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી હતી.વિવિધ આશ્રમમાં ખાસ મંત્રોચ્ચારહવનપૂજનગુરુવારણગુરુચરણ સ્પર્શદક્ષિણા અર્પણ અને પ્રસાદ વિતરણની ધાર્મિકવિધિઓ યોજાઈ હતી.

જૂનાગઢના ગિરનાર પર્વતના પાયે આવેલ ભવનાથમાં ગુરુપૂર્ણિમાના પર્વની  ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગૌરક્ષ નાથ આશ્રમભારતી આશ્રમપુનિત આશ્રમ,રૂદ્રેશ્વર જાગીરમહાદેવપથ આશ્રમ સહિત વિવિધ આશ્રમોમાં આસ્થા વિશ્વાસ સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.શિષ્યોએ ગુરુના ચરણોમાં ફૂલનાળિયેરફળ અને દક્ષિણા અર્પણ કરી ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગુરુઓએ શિષ્યોને જીવનના સાચા માર્ગનો ઉપદેશ આપ્યો હતો.આ પ્રસંગે રુદ્રાભિષેક,ગુરુવારણયજ્ઞભજનસત્સંગપ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું હતું.