દાહોદ : ભુત પગલાના જવાનનું પંજાબમાં હદયરોગના હુમલાથી મોત, સન્માન સાથે અંતિમ વિદાય

દાહોદ જિલ્લાના ભુતપગલા ગામના જવાનના મૃતદેહને વતનમાં લાવવામાં આવતાં તેની અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું

New Update
દાહોદ : ભુત પગલાના જવાનનું પંજાબમાં હદયરોગના હુમલાથી મોત, સન્માન સાથે અંતિમ વિદાય

દેવગઢબારિયાના ભુતપગલાના વતની પ્રદિપસિંહ બારીયા છેલ્લા 17 વર્ષથી ભારતીય સૈન્યમાં ફરજ બજાવે છે. તેમને પંજાબમાં ફરજ દરમિયાન છાતીમાં દુખાવો થતાં તાત્કાલિક સારવાર હેઠળ ખસેડયા હતાં પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને પંજાબથી વતન ભુતપગલાં ગામે લાવવામાં આવ્યો હતો.

Advertisment

મૃતક જવાનને અંતિમ વિદાય આપવા માટે પુર્વ મંત્રી બચુભાઇ ખાબડ સહિતના આગેવાનો હાજર રહયાં હતાં. ગાર્ડ ઓફ ઓનર સાથે મૃતકની નીકળેલી અંતિમયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું.

Advertisment
Read the Next Article

અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે,ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવાઇ

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે વેરાવળ ફિશરીઝ વિભાગે આ નિર્ણય લીધો

New Update
 cyclone in Arabian Sea

રાજ્યભરમાં ભર ઉનાળે ભારે પવન સાથે જોરદાર વરસાદ ખાબક્યો હતો ત્યાર બાદ હવે ગુજરાતમાં ચક્રવાતના સંકટની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. આ દરમિયાન રાજ્યના દરિયા કાંઠાના વિસ્તારો એલર્ટ કરી દેવાયા છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે ગીર સોમનાથમાં તમામ બોટો પરત બોલાવી લેવામાં આવી છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત શરૂ કરવામાં આવી છે.

Advertisment

ગુજરાતમાં ચક્રવાતના સંકટ વચ્ચે ગીર સોમનાથમાં તમામ ફિશિંગ બોટો પરત બોલાવાઇ છે. અરબી સમુદ્રમાં ચક્રવાતની શકયતાના પગલે આ નિર્ણય લેવાયો છે. વેરાવળ ફિશરીઝ વિભાગ દ્વારા બોટોને પરત બોલાવવા કવાયત હાથ ધરી છે. જિલ્લામાં 7500 પૈકી 504 જેટલી ફિશિંગ બોટો હજુ દરિયામાં છે.

Advertisment