દાહોદ : ઝાલોદમાં વરરાજાની બેકાબૂ કારે 15થી વધુ જાનૈયાઓને અડફેટમાં લેતા નાસભાગ મચી

દાહોદ જિલ્લાના ઝાલોદના રાયપુરા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાની કાર બેકાબૂ બનતા 15થી વધુ જાનૈયાઓને અડફેટમાં લીધા હતા,

New Update
  • ઝાલોદમાં વરરાજાની બેકાબુ બની કાર

  • 15થી વધુ જાનૈયાઓને લીધા અડફેટમાં

  • અકસ્માતને પગલે લગ્નપ્રસંગમાં નાસભાગ મચી

  • ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા

  • અકસ્માત સર્જીને કાર ચાલક કાર છોડીને ફરાર

Advertisment

દાહોદ જિલ્લાના ઝાલોદના રાયપુરા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાની કાર બેકાબૂ બનતા 15થી વધુ જાનૈયાઓને અડફેટમાં લીધા હતા,સર્જાયેલી ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રાયપુરા ગામે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં મહુડીથી જાન લઈને રાયપુરા ગામે આવેલા વરરાજાની કાર બેકાબૂ બની અકસ્માત સર્જ્યો હતો. કાર લગ્ન મંડપમાં જાનૈયા પર ફરી વળતા 15થી વધુ જાનૈયાઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતીપરંતુ ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જાયા બાદ ડ્રાઇવર કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી છે. પોલીસે કારના નંબરના આધારે ડ્રાઇવર અને કાર માલિકની શોધખોળ શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં કાર ચાલકની બેદરકારી લીધે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જોકે બીજી તરફ ટેક્નિકલ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment