ડાંગ: આહવા ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ડાંગ દરબાર મહોત્સવનો કરાયો પ્રારંભ

ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હ

New Update
ડાંગ: આહવા ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ડાંગ દરબાર મહોત્સવનો કરાયો પ્રારંભ

ડાંગ જિલ્લાની પરંપરા અનુસાર પ્રતિવર્ષ યોજાતા ડાંગ દરબારના ભાતીગળ લોકમેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિશેષ ઉપસ્થિત રહ્યા હતા

ડાંગ દરબારની પરંપરા મુજબ રાજવીઓની ભવ્ય શોભાયાત્રા બાદ રંગ ઉપવન ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, રાજયપાલ આચાર્ય દેવ વ્રતના હસ્તે ડાંગના પાંચ રાજવીઓ તથા તેમના ભાઉબંધોનું અદકેરું સન્માન કરવા સાથે, તેમને પાનબીડા અર્પણ કરી ટોકન રૂપે પોલિટિકલ પેંશન એનાયત કરાયું હતું. આ રીતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે ડાંગ દરબારનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.આહવાના મુખ્ય માર્ગો ઉપર રાજવીઓની ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જેમાં શણગારેલી બગીઓમાં સવાર રાજવીઓએ પ્રજાજનોનું અભિવાદન ઝીલ્યું હતું.ડાંગ દરબારનો મેળો મહાલવા આવતા પ્રજાજનો માટે તા.૨ થી ૬ માર્ચ દરમિયાન દરરોજ સાંજે રંગ ઉપવન ખાતે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર : ભાજપ દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે  પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કાર્યકર્તા

અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

New Update
  • 23 જૂન શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ 

  • ભાજપે કરી શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ

  • શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસે આપી શ્રદ્ધાંજલિ 

  • વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની કરાઈ શરૂઆત

  • કાર્યક્રમમાં શહેર ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા  

અંકલેશ્વર શહેર ભાજપ કાર્યકરો દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જી બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ મોદી સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત પણ કરવામાં આવી હતી.

અંકલેશ્વર શહેરમાં જવાહર બાગ ખાતે ભારતના અગ્રણી, રાજકીય નેતા અને આઝાદી પછીના મંત્રી મંડળના સભ્ય અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના દિવસે પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.આ ઉપરાંત મોદી સુશાશનના 11 વર્ષ પૂર્ણ થતાં વય વંદના કાર્ડના રજીસ્ટ્રેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત ,પાલિકા ચેરમેન નિલેશ પટેલ સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.