ગુજરાતના ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોક સંસ્કૃતિના પ્રતિક સમાન ડાંગ દરબાર મહોત્સવનો પ્રારંભ

એક સમયે ભીલ રાજાઓને બ્રિટિશ શાસને રાજકીય પેન્શન આપવાના ભાગરૂપે શરુ કરી પરંપરા આજે ઉત્સવમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આજે તે ડાંગની ઓળખ બની ચૂકી છે.

New Update
  • ડાંગ દરબાર મહોત્સવનો પ્રારંભ

  • મહોત્સવને માણવા વનબંધુઓ ઉમટી

  • 40થી વધુ લોકકલા અને શિલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યા

  • રાજવીઓનું પરંપરાગત કરાયું સ્વાગત

  • રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન    

ગુજરાતના ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિના પ્રતિક સમાન ડાંગ દરબાર મહોત્સવનો શુભારંભ થયો છે.12 માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવને માણવા વનબંધુઓ ઉમટી રહ્યા છે.

આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતો મહોત્સવ એટલે ડાંગ દરબાર મહોત્સવ.1842માં શરૂ થયેલી ડાંગ દરબારની પરંપરા આજે પણ અવિરત પણે ચાલી રહી છે. એક સમયે ભીલ રાજાઓને બ્રિટિશ શાસને રાજકીય પેન્શન આપવાના ભાગરૂપે શરુ કરી પરંપરા આજે ઉત્સવમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આજે તે ડાંગની ઓળખ બની ચૂકી છે.

આ વર્ષે ડાંગ દરબારમાં ગુજરાત સહિત દેશભરમાંથી 40થી વધુ લોકકલા અને શિલ્પ પ્રદર્શિત  કરવામાં આવ્યા છે.મહોત્સવની મુલાકાત લેતા લોકોમાં તે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ગુજરાતના રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિમાં અહીં રાજવીઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવે છે. મેળા દરમિયાન રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે,તેમજ દરરોજ સાંજે રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત થાય છે.

Read the Next Article

ભરૂચ: ખાણ-ખનીજ વિભાગનો સપાટો, 7 દિવસમાં ખનીજ માફિયાઓના 8 વાહનો મળી રૂ.1.90 કરોડનો.મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન

New Update
MixCollage-16-Jun-2025-09-09-PM-1828

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ અને ગેરકાયદેસર ખનન અને ખનીજનું બિનઅધિકૃત વહનની પ્રવૃતિ મળી આવ્યે થી કાયદેસરની કાર્યવાહી સતત કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત ભુસ્તરશાસ્ત્રી  સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા તા.૦૯ થી ૧૫ જુન ૨૦૨૫નાં દિવસ દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ- અલગ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમ્યાન વાગરા તાલુકાના પંખાજણ, ભરૂચ તાલુકાના ઝાડેશ્વર અને ઝઘડીયા તાલુકાના રાજપારડી- ઝધડીયા ખાતે કરવામાં આવેલી તપાસ દરમ્યાન બ્લેક્ટ્રેપ, સાદી રેતી અને સાદી માટી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૮ વાહનોને સીઝ કરી કુલ-૧.૯૦કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન,ઝધડિયા પોલીસ સ્ટેશન, રાજપારડી પોલીસ સ્ટેશન અને વાગરા પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલ જપ્ત કરી રાખવામાં આવ્યો છે.