-
ડાંગ દરબાર મહોત્સવનો પ્રારંભ
-
મહોત્સવને માણવા વનબંધુઓ ઉમટી
-
40થી વધુ લોકકલા અને શિલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યા
-
રાજવીઓનું પરંપરાગત કરાયું સ્વાગત
-
રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન
ગુજરાતના ડાંગ જિલ્લાની સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિના પ્રતિક સમાન ડાંગ દરબાર મહોત્સવનો શુભારંભ થયો છે.12 માર્ચ સુધી ચાલનારા આ મહોત્સવને માણવા વનબંધુઓ ઉમટી રહ્યા છે.
આદિવાસી સંસ્કૃતિને પ્રદર્શિત કરતો મહોત્સવ એટલે ડાંગ દરબાર મહોત્સવ.1842માં શરૂ થયેલી ડાંગ દરબારની પરંપરા આજે પણ અવિરત પણે ચાલી રહી છે. એક સમયે ભીલ રાજાઓને બ્રિટિશ શાસને રાજકીય પેન્શન આપવાના ભાગરૂપે શરુ કરી પરંપરા આજે ઉત્સવમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આજે તે ડાંગની ઓળખ બની ચૂકી છે.
આ વર્ષે ડાંગ દરબારમાં ગુજરાત સહિત દેશભરમાંથી 40થી વધુ લોકકલા અને શિલ્પ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.મહોત્સવની મુલાકાત લેતા લોકોમાં તે ખુબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ગુજરાતના રાજ્યપાલની વિશેષ ઉપસ્થિતિમાં અહીં રાજવીઓનું પરંપરાગત સ્વાગત કરવામાં આવે છે. મેળા દરમિયાન રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે,તેમજ દરરોજ સાંજે રંગમંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમો આયોજિત થાય છે.