દેવભૂમિ દ્વારકા : ઔદ્યોગિક પ્રદુષણથી ખેતી વિહોણા થયા ઓખામંડળના ખેડૂતો, વિરોધ નોંધાવી તંત્રને આવેદન પાઠવ્યું...

ઓખામંડળ તાલુકામાં ટાટા કેમિકલ્સ તેમજ RSPL ઘડી જેવા મહાકાય ઉદ્યોગો પણ આવેલા છે. જેના કારણે આસપાસના અનેક ખેડૂતો પાયમાલ થઇ ગયા હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ

New Update
  • ઓખામંડળ તાલુકામાં મહાકાય ઉદ્યોગોના કારણે હાલાકી

  • પોતે પાયમાલ થઇ ગયા હોવાનો ખેડૂતોએ કર્યો આક્ષેપ

  • અનેક ખેડૂતોએ દ્વારકા પ્રાંત કચેરીએ ધરણાં પ્રદર્શન કર્યા

  • તંત્રને આવેદન પાઠવી કંપનીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ

  • કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં મહાકાય ઉદ્યોગોના કારણે પોતે પાયમાલ થઇ ગયા હોવાનો આસપાસના ખેડૂતોએ આક્ષેપ કર્યો છેત્યારે ખેડૂતોએ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાના-મોટા અનેક ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં ખાસ કરીને ઓખામંડળ તાલુકામાં ટાટા કેમિકલ્સ તેમજ RSPL ઘડી જેવા મહાકાય ઉદ્યોગો પણ આવેલા છે. જેના કારણે આસપાસના અનેક ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ટાટા કેમિકલ દ્વારા ખેતરોમાંથી ગેરકાયદેસર ખારા પાણીની પાઇપલાઈન પસાર કરવામાં આવી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. જે પાઇપલાઈનમાં અવાર-નવાર ગાબડાં પડતા ખેતરોમાં દરિયાનું પાણી ફરી વળતા ખેતી બરબાદ થઇ રહી છે.

તો બીજી તરફટાટા અને RSPL ઘડી કંપની દ્વારા કેમિકલ વેસ્ટ દરિયામાં નિકાલ કરાતુ હોવાથી દરિયાઈ સૃષ્ટિ સમાપ્ત થઇ રહી હોવાનો પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. પરિણામે માછીમારીના ધંધા સાથે સંકળાયેલા અનેક દરિયાઈ ખેડુ બરબાદ થઇ ગયા છે. આ મામલે ભૂતકાળમાં અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતી હોવાનું ખેડૂતોનું કહેવું છે. જેના વિરોધમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઇ થાળી-વાટકા અને પાવા વગાડી તંત્ર તેમજ સરકારને જગાડવા માટે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

ત્યારબાદ દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી આવી કંપનીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. જો આવનારા સમયમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો ગુજરાત કિશાન કોંગ્રેસ સહિત ખેડૂતોએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Read the Next Article

આદિપુરથી અંજાર તરફ જતાં રોડ પર કિશોરી પર દુસ્કર્મ કરવાના બનાવમાં બે આરોપીઓની કરાઇ ધરપકડ

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા. 

New Update
aadipur

આદિપુર પોલીસના જણાવ્યા મુજબ, તા. ૨૬/૬ના સાંજના ૭:૩૦થી ૭:૪૫ વાગ્યાના અરસામાં અંજાર પંથકમાં રહેતી કિશોરી એક કિશોર સાથે મોપેડ પર શનિદેવ મંદિરથી શિણાય તરફ જતા હતા.  ત્યારે રસ્તામાં બે અજાણ્યા ઇસમોએ તેને આંતરીને પોલીસ સ્ટેશનમાં લઈ જવાની ધમકી આપી હતી.

બાદ, તેમાંથી એક આરોપી પોલીસ સ્ટેશનમાં લઈ જવાના બહાને કિશોરીને મોપેડમાં બેસાડી અપહરણ કરી, રસ્તામાં કોઇ ટેકરા જેવી જગ્યાએ લઈ ગયો હતો.જ્યાં દુસ્કર્મ આચરવામાં આવ્યુ હતુ ઘટના બાદ પીડિતાએ પરિવારજનોને જાણ કરતાં પરિવારે હિંમત દાખવી પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કરતાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવમાં મહેશ ઉર્ફે ડાભલો  મોતીભાઈ કોલી, સંદીપભાઈ ઘનશ્યામગર ગુસાઈ ની ધરપકડ કરવામાં આવી છે.