દેવભૂમિ દ્વારકા : વીજ ટાવર ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

શ્રમિકો વીજ ટાવર ઉભો કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ગંભીર દુર્ઘટના ઘટતા દુર્ઘટનામાં વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં

New Update

બજાણા ગામે ખાનગી કંપની દ્વારા ચાલતી કામગીરી

હાઇટેન્શન વીજ લાઇનની કામગીરી દરમ્યાન દુર્ઘટના

વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં

અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતે 3 શ્રમિકોના મોત નોંધી પોલીસની કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે ચાલી રહેલી હાઇટેન્શન વીજ લાઇનની કામગીરી દરમ્યાન મહાકાય વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં હતાજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારદ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે સિમ વિસ્તારમાં વિન્સોલ કંપની દ્વારા હાઇટેન્શન વીજ લાઇનની કરવામાં આવી રહી છેત્યારે આજરોજ બપોરના સુમારે કેટલાક શ્રમિકો વીજ ટાવર ઉભો કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ગંભીર દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મહાકાય વીજ ટાવર ધરાશાયી થતાં 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાજ્યારે અન્ય 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં ઇજાગ્રસ્ત અન્ય શ્રમિકોને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં ગંભીર રીતે ઘાયલ વધુ એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આમઆ ઘટનામાં મૃત્યુઆંક 3 પર પહોચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેકામગીરી દરમ્યાન મહાકાય વીજ ટાવર અચાનક નીચે પડતાં અકસ્માતે 23 વર્ષીય પુરિમલ મારડી24 વર્ષીય નિસ્તર રુલ અને 25 વર્ષીય તન્મય મુરમુ નામના શ્રમિકોનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની છે. તો બીજી તરફપોલીસે પણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

ભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ગઝલ સંસ્કાર કાર્યશાળા યોજાઈ,સાહિત્ય રસિકો, કવિઓ અને ગઝલકારો રહ્યા ઉપસ્થિત

બુધ કવિસભા ભરૂચ, મયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું..

New Update
  • ગઝલ સંસ્કાર કાર્યશાળાનું કરાયું આયોજન

  • જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે કરાયું આયોજન

  • સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ લીધો ભાગ

  • ગઝલના ઇતિહાસ સહિતની રસપ્રદ માહિતની કરાઈ રજૂઆત

  • ગઝલના રેખાચિત્રોનું આલેખન પદ્ધતિનું અપાયું માર્ગદર્શન

  • અરબીફારસી છંદોના ગુજરાતી નામકરણની કરાઈ છણાવટ 

ભરૂચ ભોલાવ ખાતેની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સુંદર પરિસર ખાતે તારીખ 27 જુલાઈ રવિવારના રોજ બુધ કવિસભા ભરૂચમયુરી ફાઉન્ડેશન વડોદરા અને જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે "ગઝલ સંસ્કાર" કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય વક્તા તરીકે સંસ્કારી નગરી વડોદરાના સુપ્રસિધ્ધ ગઝલકાર કવિ મકરંદ મુસળે હાજર રહ્યા હતા. સદર કાર્યશાળામાં ગઝલની ઉત્પતિગઝલનો ઈતિહાસતેમજ ગઝલ વિશેના એકમ ઘટકો ગણછંદલય વિગેરેની વિસ્તૃત માહિતી મલ્ટી મિડિયા પ્રોજેક્ટરના ઉપયોગ સાથે મોટા સ્ક્રીન પર પૂરી પાડવામાં આવી હતી.

તદુપરાંતસાહિત્ય જગતમાં પ્રથમવાર ગઝલના નવીનતમ આયામો જેવા કેગઝલના અરબીફારસી છંદોનું ગુજરાતી નામકરણ તેમજ ગઝલના લગાત્મક સ્વરૂપોના સંદર્ભ રેખાચિત્રો (ગ્રાફ) નું આલેખન પદ્ધતિ પણ શીખવવામાં આવી હતી.

કાર્યક્રમની શરૂઆતમાં જતીન પરમારે'કાર્યશાળાના ઉદેશ્યમુખ્ય વક્તા કવિ મકરંદ મુસળે નો પરિચય આપી સફળ સંચાલન કર્યું હતું. જ્યારે પ્રમોદ પંડ્યાએ બુધ કવિ સભાનો છેલ્લા ત્રણ વર્ષનો સાતત્યસભર ઇતિહાસ અને સાહિત્ય ક્ષેત્રે કરેલ વિવિધ પ્રવૃત્તિઓનો અહેવાલ આપી બુધ કવિ સભાને એક આગવી ઓળખ આપી હતી. બુધ કવિ સભાના કવિ કમલેશ ચૌધરીએ મકરંદ મુસળેનું તેમજ કવયિત્રી હેતલ ચૌધરીએ મયુરી ફાઉન્ડેશનના ધ્રુવ જોશીનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી સન્માનિત કર્યા હતા.જ્યારે શ્રીમતી હેમાક્ષી શાહ અને શ્રીમતી હેતલબેન ચૌધરીએ કાર્યશાળા માટે આધારરૂપ વહીવટી જવાબદારી નિભાવી હતી. કાર્યક્રમના અંતમાં કવિ પ્રધુમન ખાચરે આગવી છટામાં આભારવિધિ કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

બુધ કવિ સભાના ફાઉન્ડર મેમ્બર બ્રીજ પાઠકે ઉમેર્યું હતું કે દરેક બુધ કવિ સભામાં અમે સુપ્રસિદ્ધ કવિઓને અમારી સાથે ઓનલાઈન માધ્યમ દ્વારા સાંકળીએ છીએ ઉપરાંત મયુરી ફાઉન્ડેશન વડોદરા દ્વારા આ "ગઝલ સંસ્કાર" કાર્યશાળા માટેની સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે સંપૂર્ણ આર્થિક સહયોગ સાંપડ્યો હતો.જે માટે સંસ્થા ઋણી છે. જ્યારે પ્રતિસાદરૂપે ધ્રુવ જોશી દ્વારા બુધ કવિ સભાના સંયુક્ત ગઝલ સંગ્રહના પુસ્તક તૈયાર કરવા આહવાન કરી આર્થિક સહાયની કરેલ આગોતરી જાહેરાતની વાતને પ્રોત્સાહક બળ તરીકે નોંધવામાં આવી હતી.

આ નવીનતમ "ગઝલ સંસ્કાર" કાર્યશાળામાં સમગ્ર ગુજરાતમાંથી ભરૂચઅંકલેશ્વર,વડોદરાસુરતવાપીતેમજ અન્ય શહેરોમાંથી મોટી સંખ્યામાં સાહિત્ય રસિકોકવિઓ અને ગઝલકારોએ ઉમળકાભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે બુધ કવિ સભાએ  આભારની લાગણી વ્યક્ત કરી હતી.