દેવભૂમિ દ્વારકા : વીજ ટાવર ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત, અન્ય ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

શ્રમિકો વીજ ટાવર ઉભો કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ગંભીર દુર્ઘટના ઘટતા દુર્ઘટનામાં વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં

New Update

બજાણા ગામે ખાનગી કંપની દ્વારા ચાલતી કામગીરી

હાઇટેન્શન વીજ લાઇનની કામગીરી દરમ્યાન દુર્ઘટના

વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં

અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

અકસ્માતે 3 શ્રમિકોના મોત નોંધી પોલીસની કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે ચાલી રહેલી હાઇટેન્શન વીજ લાઇનની કામગીરી દરમ્યાન મહાકાય વીજ ટાવર ધરાશાયી થતાં 3 શ્રમિકોના મોત નિપજ્યાં હતાજ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

મળતી માહિતી અનુસારદ્વારકા જિલ્લાના બજાણા ગામ ખાતે સિમ વિસ્તારમાં વિન્સોલ કંપની દ્વારા હાઇટેન્શન વીજ લાઇનની કરવામાં આવી રહી છેત્યારે આજરોજ બપોરના સુમારે કેટલાક શ્રમિકો વીજ ટાવર ઉભો કરી રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ગંભીર દુર્ઘટના સર્જાય હતી. આ દુર્ઘટનામાં મહાકાય વીજ ટાવર ધરાશાયી થતાં 2 શ્રમિકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાજ્યારે અન્ય 2 શ્રમિકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

બનાવની જાણ થતાં જ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતોજ્યાં ઇજાગ્રસ્ત અન્ય શ્રમિકોને સારવાર અર્થે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાજ્યાં ગંભીર રીતે ઘાયલ વધુ એક શ્રમિકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આમઆ ઘટનામાં મૃત્યુઆંક 3 પર પહોચ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેકામગીરી દરમ્યાન મહાકાય વીજ ટાવર અચાનક નીચે પડતાં અકસ્માતે 23 વર્ષીય પુરિમલ મારડી24 વર્ષીય નિસ્તર રુલ અને 25 વર્ષીય તન્મય મુરમુ નામના શ્રમિકોનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના બની છે. તો બીજી તરફપોલીસે પણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.