“સ્વાસ્થ્યનો સહારો” : અમરેલીમાં ધર્મજીવન હોસ્પિટલનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે લોકાર્પણ કરાયું...

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સ્વામિનારાયણ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 100 બેડની આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે

New Update
  • સ્વામિનારાયણ ગુરુકુળ-રાજકોટ સંસ્થા દ્વારા આયોજન

  • સ્વાસ્થ્યનો સહારો ધર્મજીવન હોસ્પિટલનું નિર્માણ કરાયું

  • ધર્મજીવન હોસ્પિટલનું રાજ્યપાલના હસ્તે લોકાર્પણ કરાયું

  • કેબિનેટ મંત્રીશિક્ષણ મંત્રીસાંસદ વિશેષ ઉપસ્થિત રહ્યા

  • લેટરકાંડ મુદ્દે રાજકીય નેતાઓએ નિવેદન આપવાનું ટાળ્યું

Advertisment

 અમરેલી શહેરમાં નિર્માણ પામેલ લોકોના સ્વાસ્થ્યનો સહારો એવી ધર્મજીવન હોસ્પિટલનું ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અમરેલી શહેરમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થા દ્વારા 'સ્વાસ્થ્યનો સહારો ધર્મજીવન હોસ્પિટલ'નું લોકાર્પણ કરવામાં આવ્યું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સ્વામિનારાયણ સંતો-મહંતોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં 100 બેડની આધુનિક સુવિધાયુક્ત હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. 

આ હોસ્પિટલમાં જનરલ મેડિસિનજનરલ સર્જરીઓર્થોપેડિકસ્ત્રીરોગ અને પ્રસૂતિબાળરોગદંત વિભાગએક્સ-રેસોનોગ્રાફીલેબોરેટરી અને મેડિકલ સ્ટોર જેવી સુવિધાઓ દર્દીઓને રાહતદરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાશિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાવિધાનસભાના મુખ્ય નાયબ દંડક કૌશિક વેકરિયારાજકોટ સાંસદ પરષોત્તમ રૂપાલાલાઠી ધારાસભ્ય જનક તળાવિયા જેવા ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીપૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને છેલ્લા 15 દિવસથી ચાલી રહેલા અમરેલી લેટરકાંડ મુદ્દે તમામ નેતાઓએ રાજકીય નિવેદનોથી દૂર રહી મૌન જાળવ્યું હતું.

Latest Stories