અદ્યોગીક ગેસમાં સતત ભાવ વધતાં સુરેન્દ્રનગરના થાન સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ..!

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે.

New Update
અદ્યોગીક ગેસમાં સતત ભાવ વધતાં સુરેન્દ્રનગરના થાન સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ..!

સમગ્ર ગુજરાત સહિત દેશ વિદેશમાં સુરેન્દ્રનગર જીલ્લાના થાનનો સિરામિક ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. અહી બનતી અલગ અલગ સેનીટરી સહિતની આઈટમો વિદેશ સુધી નિકાસ કરવામાં આવે છે. પરંતુ સિરામિક ઉદ્યોગમાં વપરાતા PNG ગેસના ભાવમાં વખતોવખત થતા ભાવ વધારાના કારણે હાલ થાનના સિરામિક ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લાના થાન તાલુકામાં અંદાજે 300 જેટલા નાના અને મોટા સિરામિક ઉદ્યોગ આવેલ છે, જ્યાં વર્ષોથી અનેક શ્રમિકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તો બીજી તરફ, થાન સિરામિક ઉદ્યોગમાં બનતી સિરામિક, સેનેટરી સહિતની આઈટમોની ડિમાન્ડ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બહારના રાજ્યો અને વિદેશમાં પણ હોય છે, માટે અહીંથી સેનેટરીની આઈટમ ત્યાં નિકાસ કરવામાં આવે છે. સિરામિક ઉદ્યોગમાં આઈટમોના ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન PNG ગેસનો ઉપયોગ થાય છે. પરંતુ સરકાર તેમજ ગેસ કંપનીઓ દ્વારા અવાર નવાર PNG ગેસના ભાવમાં વધારો ઝીંકી દેવામાં આવે છે. જેના કારણે ઉત્પાદન ખર્ચ વધતો રહે છે, જ્યારે સામે સિરામિક આઈટમોનો ભાવ ઉદ્યોગકારો મોંઘવારીને કારણે વધારી નથી શકતા પરિણામે હાલ સિરામિક ઉદ્યોગમાં મંદી જોવા મળી રહી છે, ત્યારે ઉદ્યોગકારો દ્વારા સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી છે.

થાન ખાતે આવેલ અંદાજે 300થી વધુ સિરામિક ઉદ્યોગમાં અંદાજે 25 હજારથી વધુ શ્રમિકો કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, અને મોટા ભાગે સિરામિક ઉદ્યોગ પર નિર્ભર રહે છે, ત્યારે તાજેતરમાં થોડા દિવસો પહેલા જ ગેસ કંપનીઓ દ્વારા સિરામિક ઉદ્યોગમાં વપરાતા PNG ગેસમાં પ્રતિ યુનિટ રૂપિયા 2નો વધારો ઝીંકવામાં આવે છે. છેલ્લા 6 મહિનામાં PNG ગેસમાં અંદાજે 20 રૂપિયા જેટલો વધારો થયો છે, જેની સીધી અસર સિરામિક ઉદ્યોગ પર પડી છે. વારંવાર થતા PNG ગેસના ભાવ વધારાના કારણે સિરામિક ઉદ્યોગકારો પર કરોડો રૂપિયાનું ભારણ વઘ્યું છે. દરેક સિરામિક એકમોમાં લાખોની કિંમતનો તૈયાર માલ પડ્યો છે. પરંતુ ભાવ વધારાના કારણે વેચાણ થતું નથી, જેના ભાગરૂપે હાલ થાન તાલુકામાં માત્ર 30% જ સિરામિક ઉદ્યોગો ટકી રહે તેમ છે, જ્યારે બાકીના ઉદ્યોગ સંપૂર્ણપણે મૃતપાય હાલતમાં આવી ગયા છે. સરકાર દ્વારા જો PNG ગેસના ભાવમાં ઘટાડો તેમજ સ્પેશિયલ સહાય પેકેજ જાહેર કરવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં સિરામિક ઉદ્યોગ પણ નામશેષ થઈ જશે તેવું સિરામિક ઉદ્યોગકારોએ જણાવ્યું હતું.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.