એક વિવાહ ઐસા ભી: જુની પરંપરાને જીવંત કરતી જાન નવસારીના જલાલપોરમાં નીકળી, સૌ કોઇ જોતાં રહી ગયા

આજના આધુનિક અને સમાજને બતાવી દેવાની હોડમાં લગ્ન જેવા સમાજિક કાર્યોમાં લખલૂટ પૈસા વપરાય છે,

New Update
એક વિવાહ ઐસા ભી: જુની પરંપરાને જીવંત કરતી જાન નવસારીના જલાલપોરમાં નીકળી, સૌ કોઇ જોતાં રહી ગયા

આજના આધુનિક અને સમાજને બતાવી દેવાની હોડમાં લગ્ન જેવા સમાજિક કાર્યોમાં લખલૂટ પૈસા વપરાય છે, પરંતુ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના ખેડૂત પરિવારે પોતાના પુત્રની જાન ઘોડા ગાડીમાં કે લક્ઝુરિયસ કારમાં નહીં પરંતુ ઘુઘરિયાળા બળદ ગાડે જાન જોડી લાડી લેવા પહોંચ્યા હતા દાયકાઓ જૂની પરંપરાને ખેડૂત પરિવારે આજે પણ જીવંત રાખતા વર્ષો જૂની પરંપરની ઝાંખી થઈ હતી. લાઇટિંગથી સુસજ્જ બળદ ગાડામાં જાન જલાલપુરના સરઇ ગામમાં લગ્ન યોજાયા હતા, જેમાં વરરાજા આધુનિક લાઇટિંગથી સુસજ્જ બળદ ગાડામાં જોવા મળ્યા હતા. મોટાભાગે વરરાજા કાર કે ઘોડા ગાડીમાં સવાર થઈને લગ્ન કરવા નીકળે છે, પરંતુ ખેડૂત પરિવારે ભારતીય પરંપરાને જીવંત કરવા વર્ષો જૂની જાનની પદ્ધતિ અપનાવી હતી. જેને લઈને તેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories