બનાસકાંઠા : ભાદરવી પૂનમના મેળા પૂર્વે અંબાજીમાં ફાયર ડ્રાઈવ, 2 દિવસમાં 11થી વધુ હોટલ-ધર્મશાળા સીલ કરાય

અંબાજી ખાતે 100 કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જે સંદર્ભે ફાયર વિભાગ દ્વારા NOC સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી. જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો

New Update
Banaskantha Fire Drive

બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા પહેલા તંત્ર દ્વારા ફાયર ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમાં 2 દિવસમાં 11થી વધુ હોટલો અને ધર્મશાળાને સીલ કરવામાં આવતા હોટલ સંચાલકો અને ધર્મશાળાના માલિકોમાં ફફડાટ ફેલાયો છે.

બનાસકાંઠામાં આવેલું અંબાજી એટલે કેમાઁ અંબાનું ધામ ગુજરાતનું નહીં પણ દેશનું સૌથી મોટું શક્તિપીઠ છેત્યારે અંબાજી ખાતે 200 કરતાં વધુ હોટલો અને ગેસ્ટ હાઉસો-ધર્મશાળાઓ આવેલી છે. જેમાં મોટાભાગની હોટલ ગેસ્ટ હાઉસ ધર્મશાળામાં ફાયર સેફટી ન હોવાથી રાજકોટ ખાતે થોડા મહિના અગાઉ બનેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ભરમાં ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

જેમાં અંબાજી ખાતે 100 કરતાં વધુ હોટલો ધર્મશાળાઓને નોટિસ પાઠવવામાં આવી હતી. જે સંદર્ભે ફાયર વિભાગ દ્વારા NOC સ્થળ ઉપર જઈને ચેક કરવામાં આવી હતી. જેને લઈને અંબાજીના હોટલ માલિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. જોકે2 દિવસમાં જ 11થી વધુ હોટલો અને ધર્મશાળાઓ સીલ કરાઈ છે.

અંબાજીમાં ફાયર વિભાગ દ્વારા અંબાજી પોલીસને સાથે લઈને અંબાજીના અલગ અલગ માર્ગો પર આવેલી હોટલો ધર્મશાળાઓ અને ગેસ્ટ હાઉસમાં પાલનપુરથી આવેલા ફાયર ઓફિસર દ્વારા ચેકિંગ હાથધરીને જે હોટલો ધર્મશાળાઓએ NOC માટે અપ્લાય ન કર્યું હોય અને રકમ ન ભરી હોય તેવા એકમોને સીલ કરવામાં આવ્યા હતા.

અંબાજીની અંબેવેલી હોટલચરોતર સરદાર પટેલ ધર્મશાળાચૌધરી ધર્મશાળાભગવતી પાર્ટી પ્લોટશ્રી હોટલ અને પ્રજાપતિ ધર્મશાળાને સીલ કરવામાં આવી હતી. હજુ આ ફાયર વિભાગની ડ્રાઇવ અંબાજીની કોમર્શિયલ હોટલો ધર્મશાળા ગેસ્ટ હાઉસમાં ચાલુ છે.

Latest Stories