વડોદરાના સુરસાગર તળાવમાં માછલીઓના મોતનો સિલસિલો જારી : તારાપામાં જથ્થો ભર્યો

આજે સવારે સુરસાગર તળાવમા અસંખ્ય મૃત માછલીઓ મળી આવી છે. જેને તરાપામાં સવાર થઇને યુવક દ્વારા કાઢવામાં આવી રહી છે.

New Update
vadodaras

વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં તાજેતરમાં પાલિકા દ્વારા નવી એરેશન સિસ્ટમ મુકવામાં આવી છે. સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યાના ત્રણ દિવસમાં જ ફરી માછલીઓના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.

આજે સવારે સુરસાગર તળાવમા અસંખ્ય મૃત માછલીઓ મળી આવી છે. જેને તરાપામાં સવાર થઇને યુવક દ્વારા કાઢવામાં આવી રહી છે. નવી એરેશન સિસ્ટમ થકી સુરસાગર તળાવના પાણીમાં ઓક્સિજ લેવલ જળવાશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, હવે દાવાથી વિપરીત પરિસ્થિતીનું નિર્માણ થઇ રહ્યું છે.

પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સુરસાગર તળાવનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે. બ્યુટિફિકેશન બાદ સમયાંતરે તળાવમાં અસંખ્ય માછલીઓના મોતની ઘટના નોંધાઇ રહી છે.

જેને ટાળવા માટે પાલિકા તંત્ર દ્વારા ત્રણ દિવસ પહેલા જ નવી એરેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે. એરેશન સિસ્ટમ બાદ પાણીમાં ઓક્સિજનનું જરૂરી લેવલ જળવાઇ રહેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, નવી એરેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કર્યાના ત્રણ દિવસમાં જ સુરસાગરમાં માછલીઓના મૃતદેહ મળી આવ્યા છે.

આજે સવારે તરાપામાં બેસીને એક પછી એક મૃત માછલીઓ એકત્ર કરવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે એરેશન સિસ્ટમ એટલી હાઇટેક છે કે, સિસ્ટમમાં ખામી સર્જાય તો સીધો અધિકારીને તેનો મેસેજ જશે. જો કે, દાવાઓથી વિપરીત સુરસાગર તળાવમાં માછલીઓના મૃત્યુનો સિલસિલો જારી છે.

પાલિકા દ્વારા શહેરના જળાશયોની જાળવણીમાં કચાશ રાખવામાં આવી રહી હોવાનું આ કિસ્સા પરથી વધુ એક વખત ફલિત થવા પામે છે. હવે માછલીઓના મૃત્યુની ઘટના રોકવા માટે પાલિકા તંત્ર દ્વારા કયા નક્કર પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. 

પાલિકાના સુત્રોએ ઉમેર્યું કે, વહીવટી તંત્ર દ્વારા ગત ગુરૂવારે સુરસાગરમાં વધુ કેપેસીટીવાળી સ્ટોરેજ ટેન્ક અને એર ડ્રાયર મુકવામાં આવ્યા છે. જેમાં 2 કોમ્પ્રેસર અને 15 ડિફ્યુઝર લગાડવામાં આવ્યા છે. જેથી તળાવમાં ઓક્સિજનની માત્રા જળવાઇ રહેશે. આગામી સપ્તાહમાં 15 ડિફ્યુઝર વધુ લગાડવાનું આયોજન હોવાનું જાણવા મળી રહ્યું છે.

 

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.   

Latest Stories