વલસાડ : ગણેશ વિસર્જનમાં ફૂલ-પૂજા સામગ્રીના પ્રોસેસની આવકમાંથી શ્રીજીનો સિક્કો બનાવી ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે અપાશે

વલસાડ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશે,

New Update

વલસાડ જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશેત્યારબાદ તેને પ્રોસેસ કરી તેમાંથી થતી આવકમાંથી ગણેશજીનો સિક્કો બનાવી જે તે ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

વલસાડ જિલ્લામાં પણ ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છેત્યારે ગણેશ વિસર્જન સમયે ગણેશજીની મૂર્તિઓ સાથે પૂજામાં ઉપયોગમાં લેવાયેલા ફૂલો અને અન્ય સામગ્રીને પણ નદીમાં પધરાવી દેવામાં આવે છે. આથી નદી-નાળાઓમાં પ્રદૂષણ થાય છે. જોકેહવે લોકોની લાગણી ન દુભાય અને પૂજા સામગ્રીમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બને તે માટે વલસાડ જિલ્લામાં વિશેષ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા કલેકટર નૈમેશ દવેના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હવે ગણેશ વિસર્જન સ્થળો પર ફૂલો અને પૂજાની સામગ્રીને અલગ કરવામાં આવશેત્યારબાદ તેને પ્રોસેસ કરી તેમાંથી થતી આવકમાંથી ગણેશજીનો સિક્કો બનાવવામાં આવશે. ત્યારબાદ જે તે ગણેશ મંડળોને ભેટ સ્વરૂપે આ સિક્કો આપવામાં આવશે. આમ જિલ્લામાં સૌપ્રથમ વખત શરૂ થયેલા અભિયાનના પગલે હવે નદી-નાળાઓમાં થતું પ્રદૂષણ અટકશે તેવી તંત્ર અપેક્ષા રાખી રહ્યું છે. આ સાથે જ વિસર્જિત કરેલી ગણેશ મૂર્તિઓને પણ રિસાયક્લિંગ કરી તેમાંથી પણ વસ્તુઓ બનાવવા માટે તંત્રનું આયોજન છે. જો આ પ્રયાસ સફળ રહ્યો તો આગામી સમયમાં મોટા પ્રમાણમાં આ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે તેવું વલસાડ જિલ્લા કલેક્ટરએ જણાવ્યુ હતું.

Read the Next Article

વલસાડ : મહાકાય વૃક્ષ ધરાશાયી થતાં મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર પડ્યું, એક બાળકીનું મોત, ઘટના CCTVમાં કેદ...

મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચતા મોત નીપજ્યું

New Update
  • પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ તૂટી પડ્યું

  • મોપેડ પર જઈ રહેલ 3 ભાઈ-બહેન પર વૃક્ષ ધરાશાયી થયું

  • એક બાળકીનું મોતજ્યારે 2 બાળકોની હોસ્પિટલમાં સારવાર

  • વૃક્ષ ધરાશાયીની ઘટનાનો વિડિયોCCTVમાં પણ કેદ થયો

  • કરુણ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો

વલસાડ શહેરમાંથી એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં 3 ભાઈ-બહેન પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતુંજ્યારે અન્ય 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસારવલસાડ શહેરના મોગરાવાડી નવરંગ ફળિયામાં રહેતા અજય પટેલના 3 બાળકો જેમાં 18 વર્ષની સાચી15 વર્ષનો જીતકુમાર અને 10 વર્ષની બાળકી ધ્યાના આજે અબ્રામા ખાતે સ્કૂલથી છૂટીને બપોરે આશરે 12:30 વાગ્યાના સુમારે મોપેડ પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન વલસાડના પોલીસ હેડક્વાર્ટર પાસે મહાકાય લીમડાનું વૃક્ષ અચાનક તૂટી પડતા ત્રણેય ભાઈ-બહેન વૃક્ષ નીચે દબાઈ ગયા હતા. જેમાં 10 વર્ષની ઘ્યાનાને પેટના ભાગે લાકડું વાગતા ગંભીર ઈજા પહોચી હતી. ધ્યાનાને લોહીલુહાણ હાલતમાં વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતીજ્યા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ ઘટનામાં ધ્યાનાનો ભાઈ જીત અને બહેન સાચીને પણ નાની મોટી ઈજાઓ પહોંચતા તેમની સારવાર ચાલી રહી છે. જોકેસમગ્ર ઘટનાનો વિડિયોCCTVમાં કેદ થયો છેત્યારે આ કરુણ ઘટનાને લઈને સમગ્ર વલસાડ પંથકમાં ભારે શોકનો માહોલ છવાયો છે. આ ઘટના બાદ સ્થળ પર વલસાડ ફાયર બ્રિગેડની ટીમ તેમજG.E.B ના કર્મચારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતાઅને ધરાશાયી થયેલા વૃક્ષને કાપીને માર્ગ ખુલ્લો કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેવરસાદને કારણે જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.