ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી

New Update
ગાંધીનગર: CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની કોન્ફરન્સ યોજાય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થતિમાં ગાંધીનગર ખાતે રાજ્યના જિલ્લા વિકાસ અધિકારીઓની એક દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી.કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ ગ્રામીણ ક્ષેત્ર સહિત પંચાયતી રાજ વ્યવસ્થાના ત્રણેય સ્તરે નાનામાં નાના માનવીને ગુણવત્તાયુકત સેવા સુવિધા આપીને સરકારની છબી વધુ ઊજાગર કરવા આહવાન કર્યુ હતું.મુખ્યમંત્રીએ કહ્યું કે, પંચાયતોમાં નાગરિકોને અપાતી પપ જેટલી સેવાઓમાં સરકારે વધુ ૩ર૧ જેટલી સેવાઓ જોડીને લોકોને ઘર આંગણે સેવાઓ પૂરી પાડી રહી છે.

Read the Next Article

સાબરકાંઠા : ખેડબ્રહ્મામાં ભારે વરસાદ વચ્ચે ખેતી નિષ્ફળ જવાની સંભાવના, 15 પશુઓના પણ મોત...

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે.

New Update
  • ખેડબ્રહ્મા પંથકમાં વરસ્યો હતો અનરાધાર વરસાદ

  • લક્ષ્મીપુરાગલોડીયા રોધરા ગામે તારાજી સર્જાય

  • 700 એકર જમીન ખેતી નિષ્ફળ જવાની સંભાવના

  • વરસાદ વચ્ચે 15 જેટલા પશુઓના મોત થયા

  • નુકસાન અંગે તંત્ર પાસે લોકોની મદદની અપેક્ષા

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં ગતરાત્રિએ વ્યાપક વરસાદ નોંધાયો હતો. જેમાં ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા ગલોડીયા તેમજ રોધરા ગામે વરસાદે વ્યાપક તારાજી સર્જી છે. રોધરા ગામે 700 એકર જેટલી જમીન ઉપર ખેતી નિષ્ફળ જવાની સંભાવનાઓ છે. તો બીજી તરફ 15 જેટલા પશુઓના મોત થયા છે.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના રોદરા ગામે વરસેલા 15 ઇંચ જેટલા વરસાદના પગલે સ્થાનિક કક્ષાએ ભારે તારાજી સર્જાય છે. ભારે વરસાદના પગલે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ 700 એકર જેટલી જમીન ઉપર મગફળીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અહી 100 ટકા ડ્રીપ ધરાવનારા ગામની સમગ્ર ટપક સિંચાઈ પણ ધસમસતા પાણીના પ્રવાહમાં ખેંચાઈ ચૂકી છેજેના પગલે ખેડૂતોને પાક સહિત ડ્રીપ તણાઈ જવાથી વ્યાપક નુકસાન સર્જાયું છે. જોકેઅડધી રાત્રે આવેલા પૂરના પગલે 10થી 15 જેટલા પશુઓના પણ મોત થયા છે. ગામમાં થયેલા પારાવાર નુકસાન મામલે સ્થાનિકો તંત્ર પાસે મદદની અપેક્ષા રાખી રહ્યા છે.