ગાંધીનગર: કોરોના વકરે તો ભલે વાયબ્રન્ટ સમિટ તો થઈને જ રહેશે !

રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા માટે મક્કમ છે.

New Update
ગાંધીનગર: કોરોના વકરે તો ભલે વાયબ્રન્ટ સમિટ તો થઈને જ રહેશે !

રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા માટે મક્કમ છે. એટ રિસ્ક કન્ટ્રીઝના ડેલિગેટ્સ સમિટમાં ભાગ લઈ શકે એ માટે 7 દિવસ ક્વોરેન્ટાઇન રહેવાના નિયમોમાં છૂટછાટ માટે કેન્દ્ર સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારે ગુરુવારે ગુજરાત સહિત 8 રાજ્યોને પત્ર લખીને કોરોનાની સ્થિતિને પગલે તાકીદે પગલાં ભરવાની સૂચના આપી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગુજરાત, દિલ્હી, હરિયાણા, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, કર્ણાટક તથા ઝારખંડને ટેસ્ટિંગ તથા રસીકરણમાં વધારો કરવા સહિતના પગલાં ભરવા સૂચના આપી હતી.દરમિયાન કોરોનાની વર્તમાન સ્થિતિની વાઇબ્રન્ટ સમિટ પર શું અસર પડશે એવા સવાલના જવાબમાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યના વિકાસ માટે રોકાણ જરૂરી હોવાથી આયોજનમાં પૂરતી કાળજી રાખવામાં આવશે. તેમણે કહ્યું હતું કે સામાજિક અને ધાર્મિક મેળાવડાં થતાં હતાં, જાનૈયાઓ વરઘોડામાં મહાલતા હતાં એટલે પીક પર સ્થિતિ જઇ રહી છે.લગ્ન સમારોહોમાં 400 લોકોની મર્યાદા છે તો શું તેનું પાલન વાઇબ્રન્ટ સમિટમાં થશે કે કેમ એવા સવાલના જવાબમાં આરોગ્યમંત્રીએ કહ્યું હતું કે સમિટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પૂરતું પાલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનના પગલે કેન્દ્ર સરકારે ગાઇડલાઇનમાં ફેરફાર કરીને એટ રીસ્ક દેશોમાંથી આવતા લોકો માટે 7 દિવસ ક્વોરેન્ટાઇન રહેવાનો નિયમ કર્યો હતો

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.