Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: કૃષિ પ્રધાને કરી મહત્વની જાહેરાત, ટેકાના ભાવે ખરીદીમાં ગેરરીતિ થશે તો પાસા હેઠળ કાર્યવાહી

રાજ્યમાં અત્યાર સુધી ટેકાના ભાવે ખરીદીમાં સામે આવતી ગેરરીતિની ફરિયાદને લઇને સરકારે મોટી જાહેરાત કરી છે.

X

રાજ્યમાં અત્યાર સુધી ટેકાના ભાવે ખરીદીમાં સામે આવતી ગેરરીતિની ફરિયાદને લઇને સરકારે મોટી જાહેરાત કરી છે. હવેથી ટેકાના ભાવમાં ગેરરીતિ થશે તો પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેમ કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યુ છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આજે મહત્વની જાહેરાત કરી છે. હવેથી જો ટેકાના ભાવમાં ગેરરીતિ થશે તો પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં ખાતરની અછત વચ્ચે ખેડૂતોને પૂરતું ખાતર અપાયુ હોવાનું પણ જણાવ્યુ છે. તેમણે જણાવ્યું છે કે, સરકારે લાભ પાંચમથી મગફળી ખરીદીની શરુઆત કરી દીધી છે અને એક સપ્તાહમાં મગફળી વેચનાર ખેડૂતોને ચુકવણી પણ થઈ જાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ રવિપાકની સીઝનમાં ખાતર યોગ્ય પ્રમાણમાં મળી રહે એ માટે વ્યવસ્થા ઉભી કરાઈ છે. અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના પાકને નુકસાન થયુ હતુ. જેથી 23 તાલુકાના 682 ખેડૂતો માટે સરકારે રાહત પેકેજ જાહેર કર્યું હતું. તેનું અમલીકરણ થયું હોવાનું રાઘવજી પટેલે જણાવ્યુ હતુ. તેમણે કહ્યું અતિવૃષ્ટિના નુકસાનમાં અત્યાર સુધીમાં 155 કરોડ રૂપિયા જેટલી રકમ ખેડૂતોના ખાતામાં જમા થઇ ગઇ છે. ખેડૂતોને નડતા કોઈ પણ લોકો હશે તેની સામે પગલા લેવાની સરકારે બાંહેધરી પણ આપી છે. વધુ માં જણાવ્યું કે, ટેકાના ભાવને લઇને કે ખાતરની કાળાબજારી લઇને કોઇપણ ફરિયાદ હશે તો ગુનેગાર સાથે આવશ્યક વસ્તુ ધારા હેઠળ સાત વર્ષ સુધીની સજાની કાર્યવાહી થશે. ખાતર યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકારે કેન્દ્રમાં માંગ કરી હતી. મુખ્ય પ્રધાનની ભલામણ બાદ માંગણી મુજબ જથ્થો મળી રહ્યો હોવાનું રાઘવજી પટેલે જણાવ્યુ હતુ.

Next Story