ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” વેગવંતો બનાવવામાં આવ્યો

ગુજરાત સરકાર દ્વારા "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” વેગવંતો બનાવવામાં આવ્યો છે.જે અંતર્ગત પશુપાલકોને વિવિધ સહાય આપવામાં આવી છે

New Update
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” વેગવંતો બનાવવામાં આવ્યો

ગુજરાત સરકાર દ્વારા "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” વેગવંતો બનાવવામાં આવ્યો છે.જે અંતર્ગત પશુપાલકોને વિવિધ સહાય આપવામાં આવી છે

ખેડૂતો અને પશુપાલકોને આત્મ નિર્ભર બનાવવાની રાજ્ય સરકાર દ્વારા નેમ રાખવામા આવી છે ત્યારે "નેશનલ એનિમલ ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ” વેગવંતો બનાવવામાં આવ્યો છે.ત્રીજા રાઉન્ડમાં રાજ્યમાં ૧૨૩ લાખ પશુઓનું રસીકરણ કરવામાં આવ્યુ હતુ.ભારત સરકારે પ્રથમ તબક્કે રસીના ૩.૨૭ લાખ ડોઝ ઉપલબ્ધ કરાવ્યા હતા.સેક્સડ સીમેન ડોઝના ૩૪,૦૦૦ ડોઝના ઉપયોગથ વાછરડી-પાડી જન્મ પ્રમાણ ૯૨ ટકા સુધી પહોંચ્યું હતું. ૯૪,૦૦૦થી વધુ પશુપાલકોને સમતોલ ખાણદાણ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યુ હતુ. આ અંગે રાજયના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપી હતી

Latest Stories