ગાંધીનગર : UPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનાર યુવાઓને મુખ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા...

New Update
ગાંધીનગર : UPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનાર યુવાઓને મુખ્યમંત્રીના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા...

ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે UPSCની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનાર યુવા-યુવતીઓને શિલ્ડ, પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક સહાય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકારના સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ‘SPIPA’માં તાલીમ મેળવી કેન્દ્રીય જાહેર સેવા આયોગ 'UPSC'ની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવનાર ગુજરાતના 16 જેટલા યુવા-યુવતીઓને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શિલ્ડ, પ્રશસ્તિપત્ર અને પ્રોત્સાહક સહાય રાશિથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સિદ્ધિ હાંસલ કરનાર તમામ યુવાઓને શુભેચ્છા પાઠવી પદ, પૈસા કે, પ્રતિષ્ઠા કરતાં નીતિમત્તા સાથે જનસેવાના દાયિત્વને કારકિર્દીમાં મહત્વ આપવાની વિશેષ પ્રેરણા આપી હતી.

Latest Stories
    Read the Next Article

    શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

    શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

    New Update
    vlcsnap-2025-08-11-19h51m22s297

    શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

    ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

    ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.

    Latest Stories