ગાંધીનગર ના સેક્ટર-19માં રહેતા વરિષ્ઠ IAS અધિકારી રણજીતકુમાર ની પત્નીએ ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચ્યો હતો. અને ગંભીર હાલતમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
તારીખ 21 મી એ IAS અધિકારીની પત્નીએ ઝેરી દવા ગટગટાવી હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.જે અંગેની જાણ થયા બાદ પોલીસ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સારવાર દરમિયાન સૂર્યાબેનું મોત નીપજ્યું હતું.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા સહિતની કાનૂની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.
મૃતક મૂળ તમિલનાડુના વતની હોવાથી પોલીસે વતનમાં તેમના પરિજનોને બનાવથી માહિતગાર કર્યા હતા. પરિજનોના આવ્યા બાદ તેમને મૃતદેહ સોંપવામાં આવશે. IAS અધિકારી રણજિતકુમાર ગુજરાત કેડરના 2005 બેચના IAS છે.હાલ તેઓ ગુજરાત વીજ નિયમન પંચમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે.તેમના પત્નીના આપઘાત પાછળના કારણો જાણવાની તપાસ પોલીસે હાથ ધરી છે.