ગીરસોમનાથ: સુત્રાપાડા તાલુકામાં દીપડાએ 3 લોકો પર કર્યો હુમલો,બાળકનું મોત-મહિલાને સારવાર અર્થે ખસેડાય
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર દીપડાએ 3 લોકો પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
BY Connect Gujarat Desk16 Aug 2023 7:52 AM GMT
X
Connect Gujarat Desk16 Aug 2023 7:52 AM GMT
ગીર સોમનાથ જીલ્લામાં છેલ્લા 24 કલાકની અંદર દીપડાએ 3 લોકો પર હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના મોરડીયા ગામે દીપડાએ 65 વર્ષના વૃધ્ધાને ભરખી ગયો હતો.મોડી રાતે 65 વર્ષીય વૃદ્ધ મહિલા તેમના ઘરે ઓસરીમાં બેઠા હતા ત્યારે આદમખોર દીપડો તેમને ઉઠાવી ગયો હતો.પરિવારની નજર સામે જ ઉઠાવી જતા પરિવાર બૂમાબૂમ કરતા વૃદ્ધ મહિલાને વાડીમાં છોડી દીપડો નાસી છૂટ્યો હતો.છેલ્લા 24 કલાકની અંદર દીપડાએ 3 લોકો પર હુમલા કર્યા હતા.જેમાં એક મહિલા તેમજ એક બાળકનું ઘટના સ્થળે મોત થયુ હતું જ્યારે અન્ય એક મહિલાને કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.પરિવાર દ્વારા જ્યાં સુધી દીપડો ન પકડાય ત્યાં સુધી વૃદ્ધ મહિલાની લાશને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો પરંતુ વન વિભાગની ભારે જેહમત બાદ આ આદમખોર દીપડો આખરે કેદ થયો હતો
Next Story