New Update
ગીર સોમનાથ જિલ્લામાં આયોજન
વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાય
37 સ્પર્ધકોએ લીધો ભાગ
વિવિધ રાજ્યમાં સ્પર્ધકો સ્પર્ધામાં જોડાયા
સાહસવૃત્તિનો કરાવ્યો પરિચય
ગીરસોમનાથમાં 34મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
ગીર સોમનાથમાં 34મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાલ દ્વારા આદ્રીથી બહેનોને ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાયો તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં 21 ભાઈઓ અને 16 બહેનો સાથે કુલ 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે.આ સ્પર્ધામાં ભારતના અલગ-અલગ રાજ્યમાંથી સ્પર્ધકોઓએ ભાગ લીધો છે જેમાં ગુજરાતના 20, મહારાષ્ટ્રના 12, વેસ્ટ બંગાળ 4 અને કર્ણાટકના 1 સ્પર્ધકનો સમાવેશ થાય છે.આ તરણ સ્પર્ધામાં તરવૈયાઓએ દરિયા સામે બાથ ભીડી પોતાની સાહસવૃત્તિનો આગવો પરિચય આપ્યો હતો.ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઈલ જ્યારે બહેનો માટે આદ્રીથી વેરાવળ 16 નોટિકલ માઈલનું અંતર રાખવામાં આવ્યું હતું.ભાઈઓ અંદાજે 7 કલાક અને બહેનો અંદાજે 5 કલાક સુધી સમુદ્ર સાથે બાથ ભીડી કિનારે પહોંચે છે..