ગીર સોમનાથ: 37 સ્પર્ધકોએ તરણ સ્પર્ધામાં 5 કલાક સુધી સમુદ્ર સાથે બાથ ભીડી, સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન

ગીર સોમનાથમાં 34મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા જિલ્લા પંચાયત

New Update
ગીર સોમનાથ જિલ્લામાં આયોજન
વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાય
37 સ્પર્ધકોએ લીધો ભાગ
વિવિધ રાજ્યમાં સ્પર્ધકો સ્પર્ધામાં જોડાયા
સાહસવૃત્તિનો કરાવ્યો પરિચય
ગીરસોમનાથમાં 34મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી જેમાં કુલ 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો
ગીર સોમનાથમાં 34મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાલ દ્વારા આદ્રીથી બહેનોને ફ્લેગ ઓફ આપી શુભારંભ કરાયો તરણ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં 21 ભાઈઓ અને 16 બહેનો સાથે કુલ 37 સ્પર્ધકોએ ભાગ લીધો છે.આ સ્પર્ધામાં ભારતના અલગ-અલગ રાજ્યમાંથી સ્પર્ધકોઓએ ભાગ લીધો છે જેમાં ગુજરાતના 20, મહારાષ્ટ્રના 12, વેસ્ટ બંગાળ 4 અને કર્ણાટકના 1 સ્પર્ધકનો સમાવેશ થાય છે.આ તરણ સ્પર્ધામાં તરવૈયાઓએ દરિયા સામે બાથ ભીડી પોતાની સાહસવૃત્તિનો આગવો પરિચય આપ્યો હતો.ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ 21 નોટિકલ માઈલ જ્યારે બહેનો માટે આદ્રીથી વેરાવળ 16 નોટિકલ માઈલનું અંતર રાખવામાં આવ્યું હતું.ભાઈઓ અંદાજે 7 કલાક અને બહેનો અંદાજે 5 કલાક સુધી સમુદ્ર સાથે બાથ ભીડી કિનારે પહોંચે છે..
Read the Next Article

ભરૂચ: એ ડિવિઝન પોલીસે ગુમ અથવા ચોરી થયેલ રૂ.7.11 લાખની કિંમતનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યા

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ

New Update
Screenshot_2025-08-01-07-17-56-74_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા  CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી જેના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.

પોલીસે કેન્દ્ર સરકારના સી.ઇ.આઈ.આર.પોર્ટલના માધ્યમથી ગુમ થઇ ગયેલ મોબાઇલ ફોન એકટીવ થયા હતા જેને સ્ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.પોલીસે રૂ.77 હજારની કિંમતના 4 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે.આ સાથે જ ચોરીમાં ગયેલ રૂ.6.40 લાખનો સોના ચાંદી સહિતનો મુદ્દામાલ મૂળ માલિકોનો પરત અપાવવામાં સફળતા મેળવી છે.