ગીર સોમનાથ : અભ્યારણના વન્યપ્રાણીઓ માટે વન વિભાગે બનાવ્યા પાણીના કુત્રિમ કુંડ...

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠ્યા છે, ત્યારે ગીર અભ્યારણના વન્ય પ્રાણી પણ આ સમસ્યાથી બાકાત રહ્યા નથી.

New Update
ગીર સોમનાથ : અભ્યારણના વન્યપ્રાણીઓ માટે વન વિભાગે બનાવ્યા પાણીના કુત્રિમ કુંડ...

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીના પ્રારંભે જ સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર પાણીના પોકાર ઉઠ્યા છે, ત્યારે ગીર અભ્યારણના વન્ય પ્રાણી પણ આ સમસ્યાથી બાકાત રહ્યા નથી. જેથી વન વિભાગ દ્વારા વન્ય પ્રાણીઓને પીવાના પાણીની સમસ્યા ન રહે તે માટે જુદા જુદા સ્થળોએ 500થી વઘુ પાણીના પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.

એશીયાટીક લાયનના ગઢ એવા સાસણ ગીર અભ્યારણ વિસ્તારમાં ઉનાળાની શરૂઆત થતાં જ નાના મોટા વોકળા અને નદી-નાળા સુકાવા લાગે છે. તો બીજી તરફ ધોમધખતા તડકા અને ગરમી વચ્ચે વન્ય પ્રાણીઓ માટે પાણી મળવું કઠીન બની જાય છે, ત્યારે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સાસણ ગીર પંથકમાં વન વિભાગ દ્વારા વન્ય જીવોને કૃત્રીમ રીતે પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ગીર અભ્યારણમાં 500થી વઘુ પાણીના પોઇન્ટ નક્કી કરાયા છે. જેમાં ટેન્કરો દ્વારા પાણી ઠાલવવામાં આવે છે, તો ધણી જગ્યાએ પવનચક્કી અને સોલાર વોટર પંપ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.

વન્ય જીવોને લાંબા અંતર સુધી પાણી માટે ભટકવું ન પડે તે માટે આશરે 100થી વધુ પવનચક્કી અને સોલાર વોટર પંપ દ્વારા નિર્ધારિત પોઈન્ટ પર કૃત્રિમ રીતે પાણી પહોચાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રાજ્યના નમુનેદાર એવા સાસણ ગીર એનીમલ કેર સેન્ટર ખાતે રાખવામાં આવેલા સિંહ અને દીપડા સહિતના વન્ય પ્રાણીઓને ગરમી ન લાગે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. એનીમલ કેર સેન્ટરમાં પિંજરાઓ પર નેટ બાંધી પાણીનો સમયાંતરે છંટકાવ કરવામાં આવે છે.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.

Latest Stories