ગીર સોમનાથ : દીપડાએ ફાડી કાઢતા 3 વર્ષની માસૂમ બાળાનું મોત, દીપડાને પાંજરે પકડવા વન વિભાગની કાર્યવાહી...

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા ચકચાર મચી જવા પામી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી

New Update
  • સુત્રાપાડાના મોરાસા ગામની ચકચારી ઘટના

  • 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી ખાધી

  • ગંભીર ઇજાના પગલેનું બાળકીનું મોત નીપજ્યું

  • ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી

  • દીપડાને પાંજરે પકડવા વન વિભાગની કાર્યવાહી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા તેનું મોત નીપજ્યું હતું.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા ચકચાર મચી જવા પામી હતી. ગત રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં ઘરના સભ્યો જમી રહ્યા હતા અને બાળકી ફળિયામાં હાથ ધોવા માટે ગઈ હતી. પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવી જતાં ખેત મજૂરી કરતાં પરિવાર પર આભ ફાટ્યું હતું. 

આ ઘટનામાં રમેશભાઈ ચાવડાની કુંદના નામની 3 વર્ષની દીકરીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. શ્રમિક પરિવારમાં 2 દીકરી હતીજેમાંથી એક દીકરીને દીપડાએ ફાડી કાઢતા મોતને ભેટી હતી. વહેલી સવારે મોરાસા ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા.

ટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફવન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છેજ્યાં ઘટના વિસ્તારમાં 5 જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.