ગીર સોમનાથ : દીપડાએ ફાડી કાઢતા 3 વર્ષની માસૂમ બાળાનું મોત, દીપડાને પાંજરે પકડવા વન વિભાગની કાર્યવાહી...

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા ચકચાર મચી જવા પામી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી

New Update
  • સુત્રાપાડાના મોરાસા ગામની ચકચારી ઘટના

  • 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી ખાધી

  • ગંભીર ઇજાના પગલેનું બાળકીનું મોત નીપજ્યું

  • ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી

  • દીપડાને પાંજરે પકડવા વન વિભાગની કાર્યવાહી

Advertisment W3.CSS

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા તેનું મોત નીપજ્યું હતું.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના મોરાસા ગામે 3 વર્ષની માસૂમ બાળાને દીપડાએ ફાડી કાઢતા ચકચાર મચી જવા પામી હતી. ગત રાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં ઘરના સભ્યો જમી રહ્યા હતા અને બાળકી ફળિયામાં હાથ ધોવા માટે ગઈ હતી. પરિવારની સામે જ દીપડો બાળકીને ઉઠાવી જતાં ખેત મજૂરી કરતાં પરિવાર પર આભ ફાટ્યું હતું. 

આ ઘટનામાં રમેશભાઈ ચાવડાની કુંદના નામની 3 વર્ષની દીકરીનું ગંભીર ઇજાના પગલે મોત નીપજ્યું હતું. શ્રમિક પરિવારમાં 2 દીકરી હતીજેમાંથી એક દીકરીને દીપડાએ ફાડી કાઢતા મોતને ભેટી હતી. વહેલી સવારે મોરાસા ગામના વોકળામાંથી બાળકીના અવશેષો મળી આવ્યા હતા.

ટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી હતી. તો બીજી તરફવન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી છેજ્યાં ઘટના વિસ્તારમાં 5 જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: વાલિયા તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી, વૃક્ષારોપાણ-ખાસ ગ્રામસભાનું આયોજન

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
aa

ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment W3.CSS
આજે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ વાલિયા તાલુકાના પુસ્તકાલય ખાતે તાલુકા વિકાસ અધિકારી વૈશાલી રાવ,મામલતદાર શ્રદ્ધાબેન નાઈક,તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા,પૂર્વ પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ગામના સરપંચ સોમીબેન વસાવા,ડેપ્યુટી સરપંચ પૃથ્વીરાજસિંહ ગોહિલ,પૂર્વ સરપંચ મહેશ વસાવા,વન વિભાગના અધિકારી સહિત આમંત્રિતોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.જે બાદ વાલિયા ગ્રામ પંચાયત ખાતે ખાસ ગ્રામસભા મળી હતી.
તો વાલિયા તાલુકાના ચમારીયા ગામ ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વિશ્વ પર્યાવરણ વૃક્ષારોપણનો કાર્યક્રમ બાદ ખાસ ગ્રામ સભા મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.અને પ્લાસ્ટિક મુક્તિ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા.સાથે સરકાર દ્વારા પ્લાસ્ટિકના ઉત્પાદનને પ્રોત્સાહ આપવામાં આવે છે અને બીજી તરફ પ્લાસ્ટિક મુક્તિ અંગે પૂર્વ પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાએ સવાલો ઉઠાવ્યા હતાં