ગીર સોમનાથ : રૂ. 13 લાખની લોન સામે 33 લાખ ચૂકવ્યા, તો પણ વ્યાજખોરોએ ત્રાસ આપતા યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ઉના તાલુકાના અંજાર ગામમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે.

New Update
ગીર સોમનાથ : રૂ. 13 લાખની લોન સામે 33 લાખ ચૂકવ્યા, તો પણ વ્યાજખોરોએ ત્રાસ આપતા યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંજાર ગામમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે.

રાજ્યમાં વ્યાજખોરનો ત્રાસ દિવસેએ દિવસે વધતો જાય છે. જેમાં વ્યાજે નાણા લેનાર વ્યક્તિ પાસેથી તગડું વ્યાજ વસૂલતા વ્યાજખોરો ધાકધમકી આપતા હોય છે, જેથી કંટાળીને નાણાં લેનાર વ્યક્તિ આપઘાત કરવાનો પ્રયાસ કરે છે. તેવામાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના અંજાર ગામના વતની યોગેશ જણકાટે વર્ષ 2020માં ઉનાના ગિરનારી ફાઇનાન્સમાંથી 13 લાખ રૂપિયાની લોન લીધી હતી, અને 2.5 વર્ષમાં 33 લાખ રૂપિયા ચૂકવ્યા બાદ પણ ફાઇનાન્સ પેઢીએ સિક્યુરિટીમાં રાખેલ ચેકમાં રૂપિયા 9 લાખ ભરીને ચેક રિટર્નની ફરિયાદ પણ કરી હતી. એટલું જ નહીં, નાણા લેનાર વ્યક્તિને ફાઇનાન્સ પેઢી દ્વારા વારંવાર મારી નાખવાની ધમકી પણ આપવામાં આવતી હતી, જેથી કંટાળીને યુવકે કોઈ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ યુવાન હોસ્પિટલમાં આઇસીયુના બિછાને સારવાર લઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, નાના શહેરોમાં ઉચા વ્યાજે લીધેલા નાણાંને ડબલ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોનો અતિરેક ત્રાસ રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.