ગીર સોમનાથ: ડાકોરમાં ભગવાનના VIP દર્શન માટે ચાર્જ વસૂલાતા ભકતોમાં ભારે નારાજગી,પ્રથા બંધ કરવાની માંગ

પર્યટન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વભરમાંથી યાત્રિકો પર્યટકો ભારે ઉત્સાહ અને આનંદથી જ્યારે આવી રહ્યા છે

New Update
ગીર સોમનાથ: ડાકોરમાં ભગવાનના VIP દર્શન માટે ચાર્જ વસૂલાતા ભકતોમાં ભારે નારાજગી,પ્રથા બંધ કરવાની માંગ

પવિત્ર શ્રાવણ માસ સમયે જ પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં "ડાકોરના ઠાકોર" ના દર્શન કરવા માટે વીઆઈપી ચાર્જ વસૂલાતાં સોમનાથમાં યાત્રીઓ પણ નારાજ થયા છે અને આ પ્રથા બંધ કરવાની માંગ કરી રહ્યા છે

પર્યટન ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં વિશ્વભરમાંથી યાત્રિકો પર્યટકો ભારે ઉત્સાહ અને આનંદથી જ્યારે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં આવા લોકો ને "અતિથી દેવોભવ" માની બગદાણા-સોમનાથ- વીરપુર- સાળંગપુર-સત્તાધાર-ભવનાથ જૂનાગઢ સહીત અનેક તિર્થોમા આગતા સ્વાગતા કરવામાં આવે છે ત્યારે આવી સેવા ભાવના વચ્ચે ડાકોરમાં વીઆઈપી દર્શન વેરો શરૂ કરાતા શ્રદ્ધાળુઓમાં કચવાટ ફેલાયો છે.સોમનાથ તીર્થમાં ભાવિકોના પ્રતીભાવ જાણતા ભાવિકો જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં લોકો અનેક સમસ્યાઓ અને ચિંતાથી ઘેરાયા હોય ત્યારે મનની શાંતિ મેળવવા તીર્થસ્થાનોમાં જતા હોય છે ત્યારે જો દેવોના દર્શન માટે પણ જો વીઆઈપી ચાર્જ ઉઘરાવાય તો એ સમગ્ર ગુજરાત રાજ્ય માટે દુઃખદ ઘટના કહી શકાય અને ડાકોર તીર્થસ્થાન ટ્રસ્ટ દ્વારા તાકીદે આ વીઆઈપી દર્શન વેરો કે જેમાં પુરુષોના 500 રૂપિયા અને મહિલાઓના 250 રૂપિયા તાકીદે બંધ કરાય તેની માંગ શ્રદ્ધાળુઓ કરી રહ્યા છે

Read the Next Article

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટમાં સરહદના સંત્રીઓ BSF જવાનો સાથે કર્યો સંવાદ

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા.

New Update

CM ભુપેન્દ્ર પટેલે નડા બેટની લીધી મુલાકાત

CMBSFના જવાનો સાથે કર્યો સંવાદ

આ પ્રસંગેCMએ વિકાસકાર્યોની આપી ભેટ

BSF માટે મીઠા પાણીની સુવિધાનો પ્રારંભ

CMએ સમા દર્શનના કાર્યને બિરદાવ્યું

બનાસકાંઠા જિલ્લાને વિવિધ વિકાસકામોની ભેટ આપવા સુઈ ગામની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો અને અધિકારીઓને મળીને તેમની સાથે સંવાદ ગોષ્ઠી કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીના મક્કમ નિર્ધારણને પગલે ઓપરેશન સિંદુરની જ્વલંત સફળતામાંBSF અને સેનાના જવાનોના શૌર્યસભર યોગદાન માટે તેમણે જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.રાજ્ય સરકારે નડાબેટ ખાતે શરૂ કરેલા સીમા દર્શનને પરિણામેBSFને નજીકથી જાણવાની લોકોને તક મળી છે અને લાખો પ્રવાસીઓ સીમા દર્શન અન્વયે બોર્ડર ટુરિઝમને વેગ આપે છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

BSFના આઈ.જી.અભિષેક પાઠકે રાજ્ય સરકારે નડાબેટ સહિતના સરહદી વિસ્તારોમાંBSF માટે મીઠા પાણીની સુવિધા અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરેલી વ્યવસ્થા માટે આભાર વ્યક્ત કર્યોહતો.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ પ્રસંગેBSF જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અને સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું.આ મુલાકાતમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.

Latest Stories