ગીર સોમનાથ : વેરાવળ ન.પા.માં જમીન કૌભાંડના પર્દાફાશથી ખળભળાટ,જિલ્લા કલેકટરના તપાસના આદેશથી કૌભાંડીઓમાં ફફડાટ

વેરાવળ નગરપાલિકામાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોડીનારના ચાર શખ્સોએ કિંમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા માટે બોગસ માપણી સીટનો ઉપયોગ કર્યો

New Update
  • વેરાવળ ન.પા.માં જમીન કૌભાંડનો મામલો

  • જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ

  • વેરાવળ નગરપાલિકામાં આચરાયું હતું કૌભાંડ

  • DILR કચેરી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાઈ

  • એક મહિલા સહિત ચાર આરોપીઓ સામે ફરિયાદ

Advertisment

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરપાલિકામાં એક મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કોડીનારના ચાર શખ્સોએ કિંમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા માટે બોગસ માપણી સીટનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવતા કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગીર સોમનાથ જિલ્લના વેરાવળ નગરપાલિકામાં કોડીનારના ચાર શખ્સોએ કિંમતી જમીનનો લેઆઉટ પ્લાન પાસ કરાવવા માટે બોગસ માપણી સીટનો ઉપયોગ કર્યો હતો.જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાને મળેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓએ સર્વે નંબર 842/બ/પૈકીની જમીનના પશ્ચિમ તરફના 10 મીટરના રસ્તાને 18 મીટર બતાવીને છેતરપિંડી કરી હતી.

આ કૌભાંડમાં કોડીનારના ભરત અતુલકુમાર ઠકરારહિતેશ ધીરજલાલ ઠકરારમનોજ ધીરજલાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટનો સમાવેશ થાય છે. તેમની સામે DILR અધિકારીએ ફરિયાદ નોંધાવી છે.પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે બોગસ માપણી સીટથી મંજૂર કરાવેલ લેઆઉટ પ્લાન રદ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

વધુમાંકલેક્ટરે આવા અન્ય કિસ્સાઓની પણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ ઘટના બાદ વહીવટી તંત્ર દ્વારા લેઆઉટ પ્લાન મંજૂરીની પ્રક્રિયામાં વધુ કડક નિયંત્રણો લાગુ કરવામાં આવશે. વેરાવળ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી આ પ્રકારના અનેક કૌભાંડો આકાર પામ્યા હોવાની ચર્ચા વચ્ચે કૌભાંડ કારી બિલ્ડરો અને તંત્રના ભ્રષ્ટ અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.

Advertisment
Latest Stories