ગીર સોમનાથ : માતા સાથે અનૈતિક સંબંધના વહેમમાં દીકરાએ કર્યું આધેડ પર ફાયરિંગ, આરોપી હરીયાણાથી ઝડપાયો...

આરોપીની પુછપરછમાં હત્યાના પ્રયાસનું કારણ ફરીયાદી સાથે પોતાની માતા સંપર્કમાં હોય અને જેના કારણે ઘરમાં અવાર-નવાર ઉગ્ર વાતાવરણ સર્જાતું હતું

New Update
ગીર સોમનાથ : માતા સાથે અનૈતિક સંબંધના વહેમમાં દીકરાએ કર્યું આધેડ પર ફાયરિંગ, આરોપી હરીયાણાથી ઝડપાયો...

ગીર સોમનાથ જિલ્લાના આંબલીયાળા ગામે આધેડ પર ફાયરીંગ કરી નાસી ગયેલ શખ્સને ક્રાઇમ બ્રાન્ચે હરીયાણાથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના તાતીવેલાથી આંબલીયાળા જતા રસ્તા પર નગા બામણીયા નામના આધેડ પર એક ઇસમ ફાયરીંગ કરી નાસી ગયો હતો.

આધેડને જીવલેણ ઇજા થતા વેરાવળની સરકારી હોસ્પીટલથી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જોકે, ધોળા દિવસે ફાયરિંગ કરીને હાફ મર્ડર કરનાર આરોપીને શોધવા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા ટીમો બનાવી નેત્રમ CCTV ફૂટેજની તપાસ શરૂ કરી હતી, ત્યારે નેત્રમ CCTV ટીમ દ્વારા ફાયરીંગ કરી નાસી જનાર ઇસમની બાઇકનો નંબર વેરીફાઇ થયો હતો. આ સાથે જ આરોપી દિલ્હીથી હરીયાણા અને ત્યારબાદ ફરીદાબાદ તરફ નાસી ગયો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક તપાસ માટે હરીયાણા થઈ ફરીદાબાદ પહોચી હતી, જ્યાં ફાયરીંગ કરનાર આરોપી મૂળ પોરબંદરના સુખદેવ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની પુછપરછમાં હત્યાના પ્રયાસનું કારણ ફરીયાદી સાથે પોતાની માતા સંપર્કમાં હોય અને જેના કારણે ઘરમાં અવાર-નવાર ઉગ્ર વાતાવરણ સર્જાતું હતું, ત્યારે આ બાબતથી કંટાળી જઇ આરોપીએ ફરીયાદીને મારવાનું નક્કી કરી ફરીદાબાદથી દેશી બનાવટના હથિયાર સાથે ફરીયાદીનું ઢીમ ઢાળી દેવાનો પ્રયાસ કર્યો હતો.

Read the Next Article

હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહી થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઇશ

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી

New Update
images

ગુજરાતમાં હાલમાં એટલી ભયાનક અરાજકતાની સ્થિતિ છે કે, ધારાસભ્ય હોય કે સાંસદ હોય કોઇ કોઇનું માનતું નથી. ગુજરાતમાં બધુ જ રામભરોસે ચાલી રહ્યું છે. કોઇ કોઇને કંઇ કહેતું નથી કોઇ કોઇનું સાંભળતું નથી.

19

બસ બધુ એની રીતે ચાલ્યા કરે છે. નાગરિકો જે ભોગવતા હોય તે ભોગવ્યા કરે છે. જે લોકો મોજ કરે છે તે મોજ કર્યા કરે છે અને ભગવાન ભરોસે અઠેગઠે બધુ ચાલ્યા જ કરે છે. કોઇ કોઇને કાંઇ કહેતું નથી કોઇ કોઇનું કાંઇ પણ માનતું નથી. આવી સ્થિતિમાં કોઇને સમસ્યા થાય તો પોતાના સંતોષ ખાતર અરજી કરે છે. જો કે કંઇ પણ થતું નથી

વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખીને પોતાનો બળાપો ઠાલવ્યો હતો. ચિંતા આક્રોશ અને વિનંતી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. શહેરમાં ઉભરાતી ગટરો, ગંદા પાણી અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. વર્ષોથી ઉભરાતી ગટના કારણે વિરમગામ શરમ અનુભવી રહ્યું હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રીને ધમકી આપતા લખ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો જનતાની સમસ્યા માટે થઇને તેણે સરકારની વિરુદ્ધ જ ઉપવાસનું આંદોલન કરવું પડશે.

હાર્દિક પટેલે કહ્યું કે, જો સમસ્યાનો ઉકેલ નહી આવે તો વિરમગામના લોકો સાથે મારે મજબૂતાઈથી ઉભા રહેવું પડશે. શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા કામ કરવામાં નથી આવી રહ્યા. અધિકારીઓ દાદાગીરી કરી રહ્યા છે. જો કામ ન થાય તો જરૂર પડે જનતા સાથે ઉપવાસ આંદોલનમાં પણ જોડાવુ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.