Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થે ફરશે ઈલેક્ટ્રીક AC લક્ઝરી બસો, સરકારે શ્રાવણના પ્રથમ દિવસે આપી ભેટ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થને આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજ્ય સરકારે મોટી ભેટ ધરી છે તેમ કહી શકાય, સોમનાથ તીર્થમાં GSRTC દ્વારા 2 ઈલેક્ટ્રીક ac લક્ઝરી બસોની સેવા લોકાર્પિત કરાઈ છે.

X

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થને આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે રાજ્ય સરકારે મોટી ભેટ ધરી છે તેમ કહી શકાય, સોમનાથ તીર્થમાં GSRTC દ્વારા 2 ઈલેક્ટ્રીક ac લક્ઝરી બસોની સેવા લોકાર્પિત કરાઈ છે.

દેશ આજે જ્યારે વિશ્વભરમાં હરિત ઊર્જા તરફ આગેવાની કરી રહ્યો છે ત્યારે સોમનાથ તીર્થમાં પણ આ અભિગમ નો અમલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના એકમ GSRTC દ્વારા કરોડોની કિંમતની 2 અત્યાધુનિક બસો વેરાવળ થી સોમનાથ અને પ્રભાસ તીર્થના ધર્મસ્થાનોને જોડશે. આ બસોમાં અત્યાધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરાયો છે જે બસ ને સુરક્ષિત અને પર્યાવરણ માટે હરિત બનાવે છે. બન્ને બસ 100% ઈલેક્ટ્રીક ઊર્જા થી સંચાલિત છે. જેના કારણે તે વાતાવરણમાં પ્રતિ દિવસ થતું વાહનના ધુમાડાનું પ્રદૂષણ ન કરીને મદદરૂપ બનશે.

Next Story