ગીર સોમનાથ : ધામળેજ બંદર નજીકથી રૂ. 5.30 કરોડના બિનવારસી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

New Update

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. SOG પોલીસને ધામળેજ બંદર નજીકથી રૂ. 5.30 કરોડનું ચરસ મળી આવતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મહિને ચરસના 273 જેટલા પેકેટ ભરેલો કોથળો મળી આવ્યા બાદ ફરી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગીર સોમનાથના હિરાકોટના ધામળેજ બંદર નજીકના સમુદ્ર કિનારેથી SOGની ટીમે ચરસના 16 જેટલા પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજે કિંમત રૂપિયા 5 કરોડ 30 લાખ હોવાનું મનાઈ રહ્યું છે.

વધુમાં છેલ્લા 2 વર્ષમાં સમુદ્ર કિનારેથી રૂ. 25 કરોડનું બિનવારસી ચરસ મળી આવ્યું છે. મોટાભાગે પાકિસ્તાનઈરાનઅફઘાનિસ્તાનથી ચરસ આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ 2 વર્ષ દરમિયાન રૂ. 380 કરોડનું ડ્રગ્સ ગીર સોમનાથ જિલ્લામાંથી મળી આવ્યું છે. SOG પોલીસે NDPS એક્ટ હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધાવ્યો છેત્યારે હાલ તો આ મામલે SOG સહિતની પોલીસની ટીમ દ્વારા દરિયાકાંઠે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

 

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.