ગીર સોમનાથ : ધામળેજ બંદર નજીકથી રૂ. 5.30 કરોડના બિનવારસી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર

ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

New Update

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી બિનવારસી ડ્રગ્સનો જથ્થો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે.SOG પોલીસને ધામળેજ બંદર નજીકથી રૂ. 5.30 કરોડનું ચરસ મળી આવતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી સઘન તપાસ હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ગત મહિને ચરસના 273 જેટલા પેકેટ ભરેલો કોથળો મળી આવ્યા બાદ ફરી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગીર સોમનાથના હિરાકોટના ધામળેજ બંદર નજીકના સમુદ્ર કિનારેથી SOGની ટીમે ચરસના 16 જેટલા પેકેટ જપ્ત કર્યા છે. જેની અંદાજે કિંમત રૂપિયા 5 કરોડ 30 લાખ હોવાનું મનાઈ રહ્યું છે.

વધુમાં છેલ્લા 2 વર્ષમાં સમુદ્ર કિનારેથી રૂ. 25 કરોડનું બિનવારસી ચરસ મળી આવ્યું છે. મોટાભાગે પાકિસ્તાનઈરાનઅફઘાનિસ્તાનથી ચરસ આવતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ 2 વર્ષ દરમિયાન રૂ. 380 કરોડનું ડ્રગ્સ ગીર સોમનાથ જિલ્લામાંથી મળી આવ્યું છે. SOG પોલીસે NDPS એક્ટ હેઠળ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધાવ્યો છેત્યારે હાલ તો આ મામલે SOG સહિતની પોલીસની ટીમ દ્વારા દરિયાકાંઠે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.