ગીર સોમનાથ: પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગોને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા

ગીર સોમનાથમાં પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગો એવા પ્રભુજીને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા હતા

New Update
ગીર સોમનાથ: પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગોને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા

ગીર સોમનાથમાં પૌરાણિકતાના સ્મરણ સાથે છાત્રોડા ગામે દિવ્યાંગો એવા પ્રભુજીને બાબા અમરનાથની ગુફાના દર્શન સ્થાનિકોએ કરાવ્યા હતા

જન્માષ્ટમી પર્વ પર ગીર સોમનાથ જિલ્લામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં બાબા અમરનાથની ગુફાના આયોજનો કરાય છે. જેમાં વિશાળ ગુફા માર્ગમાં બરફ પથરાય છે તેમ જ ગુફાની અંદર બાબા અમરનાથનું બરફનું શિવલિંગ પણ કરાય છે સાથે સાથે ગામઠી મેળો પણ યોજાય છે આધુનિક યુગમાં લુપ્ત થતી પ્રાચીન સંસ્કૃતિ ના પણ આ છાત્રોડા ગામે આયોજનમાં અચૂક દર્શન થાય છે.છાત્રોડા ગામે સ્થાનિક યુવાનો દ્વારા અનેક ભક્તિમય આયોજનો કરાય છે. પ્રતિવર્ષની જેમ બાબા અમરનાથની ગુફામાં બનાવાય છે. આ વર્ષે નેશનલ હાઇવે પર આવેલ "નિરાધારનો આધાર" આશ્રમમાં નિવાસ કરતા સો જેટલા નિરાધાર અને દિવ્યાંગ લોકો કે જેના કોઈ વાલી વારસ ન હોય આવા દિવ્યાંગ લોકોને છાત્રોડા ગામે યોજાયેલ ગામઠી મેળા સાથે બાબા અમરનાથની ગુફાના દર્શન કરાવાયા હતા. તો તમામ દિવ્યાંગો આ અનોખો રોમાન્ચ માણી અને ખૂબ જ ધન્ય બન્યા હતા.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.

Latest Stories