ગીર સોમનાથ : ચોપાટી ગ્રાઉન્ડ પર વિવિધ ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન કરાયું

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વૈદિક હોલિકા દહન

Advertisment

ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહન કરાયું

વિવિધ ઔષધિઓ વડે વૈદિક હોલિકા દહન

પ્રધાનમંત્રીના અભિગમ અંતર્ગત ટ્રસ્ટની અનોખી પહેલ

સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારનું વૈદિક હોલિકા દહન  

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચોપાટી ગ્રાઉન્ડ પર વૈદિક હોલિકા દહનનું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે વિશેષ રૂપે પર્યાવરણને કેન્દ્રમાં રાખીને ટ્રસ્ટ દ્વારા હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પર્યાવરણને લક્ષમાં રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રીના લાઇફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણને લાભ કરતું અને દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજ્યું હતું.

Advertisment

 આ વૈદિક હોલિકા દહનમાં સોમનાથ ટ્રસ્ટની ગૌશાળાની ગૌમાતાના સુકેલા છાણ,ગીર ગાયનું ઘી,સમિધ કાષ્ઠસાત પ્રકારના અનાજકપૂર અને વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાસ્ત્રોક્ત દૃષ્ટિએ તેમજ આયુર્વેદ અનુસાર ઉપરોક્ત સામગ્રીઓનું દહન પર્યાવરણને શુદ્ધ કરવાની સાથે સાથે વાતપિત્ત અને કફના દોષોને પણ દૂર કરનાર છે.આ પવિત્ર દ્રવ્યોથી હોલિકા દહન કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

 

Advertisment
Read the Next Article

ભરૂચ: ઓનલાઈન ગેમિંગમાં રૂ.10 લાખ હારી જતા યુવાને વાગરામાં જવેલરી શોપમાં કરી લૂંટ, પોલીસે ગણતરીના સમયમાં જ ઝડપી પાડ્યો

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા

New Update

ભરૂચના વાગરામાં બન્યો હતો ચકચારી બનાવ

Advertisment

જવેલરી શોપમાં થઈ હતી લૂંટ

જવેલર્સની આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ ચલાવવામાં આવી હતી

પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીની કરી ધરપકડ

ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા હારી જતા કરી લૂંટ

ભરૂચના વાગરામાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં લૂંટ કરનાર આરોપીની પોલીસે ગણતરીના સમયમાં જ ધરપકડ કરી છે.આરોપી ઓનલાઈન ગેમિંગમાં રૂપિયા 10 લાખ હારી જતા તેણે લૂંટના ગુનાને અંજામ આપ્યો હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.
Advertisment

ભરૂચના વાગરામાં ભરચક બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં લૂંટનો ચકચારી બનાવ બન્યો હતો જેમાં બુકાનીધારી ઇસમે જ્વેલર્સની આંખમાં મરચાની ભૂકી નાખી રૂપિયા 4 લાખના દાગીનાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો.આ અંગે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પોલીસને ગણતરીના સમયમાં જ સફળતા મળી છે.પોલીસે લૂંટના ચક્ચારી બનાવવામાં રોઝા ટંકારીયા ગામના રાકેશ પ્રજાપતિ નામના યુવાનની ધરપકડ કરી છે અને તેની પાસેથી લૂંટમાં ગયેલ રૂ.3.65 લાખના તમામ દાગીના રિકવર કરવામાં આવ્યા છે.આ સાથે જ રૂપિયા 70 હજારની કિંમતની બાઈક પણ કબજે લેવામાં આવી છે.આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીની કડક પૂછતાછ  કરતા ચોકાવનારો ખુલાસો થયો હતો.આરોપી ઓનલાઈન સટ્ટા ગેમિંગ રમતો હોય તો જેમાં તે રૂપિયા 10 લાખ હારી જતા લૂંટ અંગેનો પ્લાન બનાવ્યો હતો અને ઓમ જ્વેલર્સ નામની દુકાનમાં ત્રાટકી લુટના ગુનાને અંજામ આપ્યો હતો જોકે હાલ આરોપીએ જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે

Advertisment