ગિરનાર પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર અજાણ્યા સાધુએ તલવારથી હુમલો કર્યો, ઈન્દ્રભારતી બાપુ પહોંચ્યાં હોસ્પિટલ

તાત્કાલિક સારવાર માટે જયસીકાનંદ માતાજીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

New Update
ગિરનાર પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર અજાણ્યા સાધુએ તલવારથી હુમલો કર્યો, ઈન્દ્રભારતી બાપુ પહોંચ્યાં હોસ્પિટલ

જૂનાનગઢમાં ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર હુમલો થયાની ચકચારી ઘટના સામે આવી છે. ગિરનાર ક્ષેત્રના પીઠાધીશ્વર જયસીકાનંદ માતાજી પર તલવાર વડે હુમલો થયો છે. તાત્કાલિક સારવાર માટે જયસીકાનંદ માતાજીને સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. અજાણ્યા સાધુએ તલવાર વડે હુમલો કર્યો છે. જો કે, હુમલામાં જયસીકાનંદ માતાજી ગંભીર રીતે ઘાયલ થયા છે,

Advertisment W3.CSS

જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હુમલાની જાણ થતાં સાધુ-સંતો હોસ્પિટલ પહોંચ્યા છે. માતાજી પર અજાણ્યા સાધુએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યું છે. ઈન્દ્રભારતી બાપુ સહિતના સંતો હોસ્પિટલ પહોંચ્યાં છે, તેમજ સાધુ-સંતોમાં રોષની જોવા મળી રહ્યો છે

Latest Stories