ગીરસોમનાથ: સમુદ્ર નજીક આવેલ ગામમાં લગાવાયું વોટર મશીન,5 રૂ.માં મળે છે 10 લિટર પીવાનું શુધ્ધ પાણી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે ગ્રામપંચાયત વોટર મશીન લગાવવામાં આવ્યું છે

New Update
ગીરસોમનાથ: સમુદ્ર નજીક આવેલ ગામમાં લગાવાયું વોટર મશીન,5 રૂ.માં મળે છે 10 લિટર પીવાનું શુધ્ધ પાણી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે ગ્રામપંચાયત વોટર મશીન લગાવવામાં આવ્યું છે જેમાં અને 5 રૂપિયામાં 10 લીટર પીવા માટેનું પાણી આપવામાં આવી રહયું છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના હરણાસા ગામે ગ્રામપંચાયત દ્વારા વોટર મશીન લગાવવામાં આવ્યું છે. એ.ટી.એમ.ખારા પાણીને મીઠું બનાવી ઠંડુ કરી માત્ર એક રૂપિયામાં એક લીટર અને 5 રૂપિયામાં 10 લીટર પીવા માટેનું પાણી અહીં આપવામાં આવે છે.હરણાસા ગામ સમુદ્ર નજીક આવેલું હોય અહીં કોઈ મીઠા પાણીનો સ્ત્રોત નથી.આથી સરકાર ની સહાય વડે માત્ર નજીવા દરે ગામ લોકોને શુદ્ધ મિનરલ વોટર પીવા માટે મળે છે.ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાનું હરણાસા ગામ દરિયાની ખૂબ નજીક છે.આ ગામમાં ક્યાંયે શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ નથી. ખેતી માટે જે ભૂગર્ભ જળ વાપરવામાં આવે છે તે પણ ભાભળું પાણી છે.આ પાણીમાં દાળ,ચોખા ચડતા નથી.પીવાના ઉપયોગમાં લઈ શકાય તેવું હોય ગ્રામજનો પીવાના પાણી માટે વર્ષોથી અન્ય જગ્યાએથી પાણી લઈ આવતા હતા.સગવડતા હોય તે લોકોએ આર.ઓ.ના કેરબા બંધાવ્યા હતા.તે પણ 30 રૂપિયાનો એક કેરબો મળે. દરેકને ન પોષાય આથી લોકો મહા મહેનતે સુત્રાપાડા અને અન્ય સ્થળેથી જેમ તેમ કરીને પાણી લાવતા.આજે સરકારના ડિસ્ટ્રીક મિનરલ ફાઉન્ડેશ દ્વારા આ મશીન હરણાસા ગામે લગાવવામાં આવ્યું છે.જે એક કલાકમાં 800 થી એક હજાર લીટર મિનરલ વોટર આપે છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories