Connect Gujarat
ગુજરાત

ગીરસોમનાથ: આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કેન્દ્રિય મંત્રી જી.કિશન રેડ્ડીએ ધન્યતા અનુભવી

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, બલવંતસિંહ રાજપુતે સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી

X

આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કેન્દ્રિય મંત્રી જી કિશન રેડ્ડી, ગુજરાત રાજ્યના મંત્રી રાઘવજીભાઇ પટેલ, બલવંતસિંહ રાજપુતે દેવાધિદેવ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી સોમનાથમાં વૈશાખ માસનો પ્રારંભ થયો છે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ પર્વે વિવિધ મહેમાનો આરાધ્ય દેવ સોમનાથ મહાદેવના દર્શનની ઝાંખીથી ધન્ય બનવા સોમનાથ મહાદેવના શરણે પહોચી રહ્યા છે..

સોમનાથ પરિસરમાં એક તરફ રુદ્રાષ્ટાધ્યાય પાઠ અને ભક્તો ના હર હર મહાદેવનો નાદ સાથે સોમનાથ મંદિર ગુંજી ઉઠેલ, વહેલી સવારે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી, ગુજરાત સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ, બલવંતસિંહ રાજપુતે સોમનાથ મહાદેવના દર્શન, બિલ્વપત્રો,પૂષ્પો સહિતની સામગ્રી અર્પણ કરી હતી.તમામ મહાનુભાવોનું સ્વાગત સન્માન ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઇ દ્વારા કરવામાં આવ્યું હતું

Next Story