ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની ગુજરાત સરકારની “ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના”

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી

New Update
  • ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના

  • આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી

  • મહિલાઓ માટે આત્મનિર્ભરતાભર્યા જીવનનું એક પગલું

  • અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવતી યોજના

  • વૃદ્ધાશ્રમની ગંગા સ્વરૂપા મહિલાઓને પણ મળ્યો લાભ

Advertisment

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથીપરંતુ મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને સન્માનભર્યું જીવન જીવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. તો આવોજાણીએ આ યોજના કેવી રીતે અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના” ગંગા સ્વરૂપા માતાઓ-બહેનો માટે જીવનસંધાન બની છે. જેમાં ગંગા સ્વરૂપાઓને બેન્ક ખાતામાં દર મહિને 1,250 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય તેમની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બની છે. લાભાર્થી મીના રાઠોડ અને લાભુ રાવલ જેવી અનેક મહિલાઓ માટે આ સહાય જીવનરેખા સમાન બની છે. જેઓ ઘરકામ કરે છેઅને તેમના પરિવારોને ટેકો આપવા માટે અન્ય નાના કામ કરે છે.

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ સાબિત થઈ છે. રાજ્ય સરકારની આ યોજના ન માત્ર ગરીબ ગંગા સ્વરૂપાઓ માટેપણ વૃદ્ધાશ્રમમાં રહેનાર ગંગા સ્વરૂપા મહિલાઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ સહાયથી તેઓ સ્વાવલંબી બની જીવન જીવી રહ્યા છે.

જોકેગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને વધુ સરળ બનાવવા માટે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિલેજ કમ્પ્યુટર એન્ટ્રપ્રેનિયર્સ મારફતે પ્રોસેસ સરળ બનાવી છે. વર્ષ 2025-26ના બજેટમાં આ યોજનાના લાભાર્થીઓ માટે રૂ. 3,015 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મહિલા સશક્તિકરણમહિલા સુરક્ષા અને મહિલા ગૌરવ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને પુરવાર કરે છે.

 

Advertisment
Read the Next Article

બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહ-હૈદરાબાદમાં ગુજરાતની કરુણા એમ્બ્યુલન્સ સેવાની નોંધ લેવાય...

ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે

New Update
  • પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ બની સેવા આશાનું કિરણ

  • પોતાના પશુઓના ઈલાજ માટે પશુપાલકોને મોટી રાહત મળી

  • 1962 પર ફોન કરી એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છે પશુપાલકો

  • અનેક પશુપાલકોએ રાજ્ય સરકારની ઉત્તમ સેવાનો લાભ લીધો 

Advertisment

 ગુજરાતના પશુપાલકો માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા આશાનું કિરણ બની રહી છે. હવે પશુપાલકો પોતાના પશુઓના ઈલાજ માટે 1962 પર માત્ર ફોન કરીને એમ્બ્યુલન્સને ઘરે બોલાવે છેત્યારે અનેક પશુપાલકો પણ રાજ્ય સરકારની આ ઉત્તમ સેવાનો વિશેષ લાભ લઈ રહ્યા છે.

ઓક્ટોબર-2017ના રોજ ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા "1962-કરુણા એમ્બ્યુલન્સ સેવા"નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ સેવા હેઠળ પશુપાલકોને ઘરે બેઠા પશુના ઈલાજની સુવિધા મળે છે. આજદિન સુધી હજારો પશુપાલકો આ સેવાનો લાભ લઈ ચુક્યા છે.

નવસારી જિલ્લાના વાસંદા તાલુકાના પશુપાલક ગુલાબ મગનના વાછરડાને નાભિમાં ઘા હતો. તેને ચાલવામાં તકલીફ પડતી હતી. તેથી તેને હોસ્પિટલે લઈ જવાનું કામ કપરું હતું. આ સંજોગોમાં તેમના માટે કરુણા એમ્બ્યુલન્સ સેવા ઉપયોગી બની. તેઓએ 1962 પર ફોન કરતાં જ માત્ર 15થી 20 મિનિટમાં એમ્બ્યુલન્સ તેઓના ઘર આંગણે આવી હતીજ્યાં નિષ્ણાંત પશુચિકિત્સકે વાછરડાની સમયસર સારવાર કરી હતી.

જોકેઆ મોબાઇલ એમ્બ્યુલન્સ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં પશુઓના ઓપરેશનથી માંડીને ગંભીર રોગોની સારવાર કરવામાં આવે છે. દરેક એમ્બ્યુલન્સમાં એક વેટરનરી ઓફિસર અને ડ્રેસર હાજર રહે છે. સમગ્ર ગુજરાતમાં હાલ 623 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેમાંથી 586 એમ્બ્યુલન્સ ગ્રામીણ વિસ્તારોમાં અને 37 એમ્બ્યુલન્સ શહેરી વિસ્તારોમાં પશુઓની સારવાર સેવામાં રહે છે.

હૈદરાબાદમાં યોજાયેલા બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ સમારોહમાં ગુજરાતની આ સેવાની નોંધ લેવામાં આવી હતી. નવસારી જિલ્લાની મોબાઇલ એનિમલ ટીમને બેસ્ટ એનિમલ લાઇફ સેવર નેશનલ એવોર્ડ એનાયત થયો હતો. આમઆજે શ્વેતક્રાંતિ માટે જાણીતા ગુજરાતની આ સેવા રાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બની છે.

Advertisment