ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની ગુજરાત સરકારની “ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના”

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી

New Update
  • ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના

  • આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથી

  • મહિલાઓ માટે આત્મનિર્ભરતાભર્યા જીવનનું એક પગલું

  • અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવતી યોજના

  • વૃદ્ધાશ્રમની ગંગા સ્વરૂપા મહિલાઓને પણ મળ્યો લાભ

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ બની છે. આ યોજના માત્ર નાણાકીય સહાય પૂરતી મર્યાદિત નથીપરંતુ મહિલાઓ માટે આત્મનિર્ભરતા અને સન્માનભર્યું જીવન જીવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. તો આવોજાણીએ આ યોજના કેવી રીતે અસંખ્ય મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના” ગંગા સ્વરૂપા માતાઓ-બહેનો માટે જીવનસંધાન બની છે. જેમાં ગંગા સ્વરૂપાઓને બેન્ક ખાતામાં દર મહિને 1,250 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય તેમની જરૂરિયાતો પૂરી કરવામાં મદદરૂપ બની છે. લાભાર્થી મીના રાઠોડ અને લાભુ રાવલ જેવી અનેક મહિલાઓ માટે આ સહાય જીવનરેખા સમાન બની છે. જેઓ ઘરકામ કરે છેઅને તેમના પરિવારોને ટેકો આપવા માટે અન્ય નાના કામ કરે છે.

ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના રાજ્યની ગંગા સ્વરૂપા બહેનો માટે આશાનું કિરણ સાબિત થઈ છે. રાજ્ય સરકારની આ યોજના ન માત્ર ગરીબ ગંગા સ્વરૂપાઓ માટેપણ વૃદ્ધાશ્રમમાં રહેનાર ગંગા સ્વરૂપા મહિલાઓ માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ છે. આ સહાયથી તેઓ સ્વાવલંબી બની જીવન જીવી રહ્યા છે.

જોકેગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાને વધુ સરળ બનાવવા માટે ગુજરાત સરકારે ડિજિટલ ગુજરાત પોર્ટલ અને ગ્રામ્ય ક્ષેત્રોમાં વિલેજ કમ્પ્યુટર એન્ટ્રપ્રેનિયર્સ મારફતે પ્રોસેસ સરળ બનાવી છે. વર્ષ 2025-26ના બજેટમાં આ યોજનાના લાભાર્થીઓ માટે રૂ. 3,015 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મહિલા સશક્તિકરણમહિલા સુરક્ષા અને મહિલા ગૌરવ માટે ગુજરાત સરકારની પ્રતિબદ્ધતાને પુરવાર કરે છે.

 

Read the Next Article

વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક  કર્યો જાહેર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

New Update
1749726703_new-project-8

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય રૂપાણીના દુઃખદ નિધનના પગલે રાજ્ય સરકારે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ જાહેરાત મુજબ, આવતીકાલે, સોમવાર, 16 જૂન 2025 ના રોજ ગુજરાત રાજ્યમાં રાજકીય શોક પાળવામાં આવશે. આ દિવસ દરમિયાન, શોકના પ્રતીક રૂપે, ગુજરાતની તમામ સરકારી કચેરીઓ, જાહેર સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.

 

આ નિર્ણય વિજય રૂપાણીના જાહેર જીવનમાં આપેલા યોગદાન અને રાજ્ય માટેની તેમની સેવાઓને સન્માનિત કરવાના ભાગરૂપે લેવામાં આવ્યો છે. તેમના નિધનથી ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

પાર્થિવ દેહની અંતિમ યાત્રા અને દર્શનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ (16 જૂન, 2025 - સોમવાર):

  • સવારે 11:00 વાગ્યે: ગાંધીનગર નિવાસસ્થાનેથી અમદાવાદની સિવિલ હોસ્પિટલ જવા રવાના થશે.
  • સવારે 11:30 વાગ્યે: અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પાર્થિવ દેહનો સ્વીકાર કરાશે.
  • સવારે 11:30 થી 12:30 વાગ્યે: સિવિલ હોસ્પિટલ, અમદાવાદથી અમદાવાદ એરપોર્ટ જવા રવાના થશે.
  • બપોરે 12:30 વાગ્યે: અમદાવાદ એરપોર્ટથી હવાઈ માર્ગે રાજકોટ જવા ટેકઓફ કરશે.
  • બપોરે 12:30 થી 2:00 વાગ્યે: હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટથી રાજકોટ એરપોર્ટ પહોંચશે.
  • બપોરે 2:00 થી 2:30 વાગ્યે: રાજકોટ એરપોર્ટથી ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ સુધી પહોંચશે.
  • બપોરે 2:30 થી 4:00 વાગ્યે: ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ સ્થિત તેમના નિવાસસ્થાને (પૂજિત, 2/5 પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ સ્કૂલ સામે, રાજકોટ) જવા માટે ભવ્ય અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડી, રણછોડદાસ બાપુ આશ્રમ રોડ, બાલક હનુમાન ચોક, કેડી ચોક, સંત કબીર રોડ, સરદાર સ્કૂલ પાસેથી, પૂજિત રૂપાણી ટ્રસ્ટ, ભાવનગર રોડ ઝોન ઓફિસ, પારેવડી ચોક, કેસરીહિંદ પુલ, સિવિલ હોસ્પિટલ ચોક, ચૌધરી હાઈસ્કૂલ, બહુમાળી ભવન, જિલ્લા પંચાયત ચોક, કિશાનપરા ચોક, હનુમાન મઢી ચોક, રૈયા રોડ અને નિર્મલા કોન્વેન્ટ રોડ થઈને તેમના નિવાસસ્થાન પ્રકાશ સોસાયટી પહોંચશે.
  • સાંજે 4:00 થી 5:00 વાગ્યે: તેમના નિવાસસ્થાને પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાખવામાં આવશે, જ્યાં શોકમગ્ન જનતા અને મહાનુભાવો શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકશે.
  • સાંજે 5:00 થી 6:00 વાગ્યે: નિવાસસ્થાનેથી રામનાથપરા સ્મશાન સુધી અંતિમ યાત્રા નીકળશે. આ યાત્રા પ્રકાશ સોસાયટી, નિર્મલા કોન્વેન્ટ રોડ, કોટેચા ચોક (કાલાવડ રોડ), મહિલા કોલેજ ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવિયા ચોક, ત્રિકોણબાગ ચોક, કોર્પોરેશન ચોક, બાલાજી મંદિર ચોક, રાજશ્રી ટોકીઝ રોડ, સ્વામિનારાયણ મંદિર (ભુપેન્દ્ર રોડ) થઈને રામનાથપરા સ્મશાન પહોંચશે.
  • સાંજે 6:00 વાગ્યે: રામનાથપરા સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

પ્રાર્થના સભાઓનું આયોજન:

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્રાર્થના સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે:

રાજકોટમાં પ્રાર્થના સભા

    • તારીખ: 17 જૂન, 2025, મંગળવાર
    • સમય: સાંજે 3:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: રેસકોર્સ મેદાન, રાજકોટ

ગાંધીનગરમાં પ્રથમ પ્રાર્થના સભા

      • તારીખ: 19 જૂન, 2025, ગુરુવાર
      • સમય: સવારે 9:00 થી 12:00 વાગ્યે
      • સ્થળ: હોલ નં. 1, એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ, સેક્ટર-17, ગાંધીનગર

ભાજપ, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાર્થના સભા

    • તારીખ: 20 જૂન, 2025, શુક્રવાર
    • સમય: સાંજે 4:00 થી 6:00 વાગ્યે
    • સ્થળ: કમલમ, કોબા, ગાંધીનગર