Connect Gujarat
ગુજરાત

હિંમતનગર: 9 વર્ષીય બાળકીની ફાંસો ખાધેલી લાશ મળી, હત્યા, આત્મહત્યા કે દુષ્પ્રેરણની દિશામાં પોલીસે શરૂ કરી તપાસ

હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં 9 વર્ષની બાળકીની ઘરની બારીની ગ્રીલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં આવતા ખળભળાટ મચી ગયો છે.

X

હિંમતનગરના પાંચ બત્તી વિસ્તારમાં 9 વર્ષની બાળકીની ઘરની બારીની ગ્રીલ સાથે રૂમાલ બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતાં આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે એ.ડી. નોંધી હત્યા, આત્મહત્યા કે દુષ્પ્રેરણની દિશામાં તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, હિંમતનગરના પાંચબત્તી વિસ્તારમાં હરસોલીયાના ડેલામાં જીતુપુરી હિંમતપુરી ગોસ્વામીના મકાનમાં ભાડેથી રહેતા પરિવારની 9 વર્ષીય બાળકીની લાશ તા.10-12-21 ના રોજ સાંજે ઘરની જાળી ઉપર રૂમાલથી ગળે ફાંસો લગાવેલી હાલતમાં મળતાં ચકચાર મચી જવા પામી હતી. માત્ર 9 વર્ષીય બાળકીની આત્મહત્યાની થિયરી બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. નાનું બાળક આત્મહત્યાનું વિચારી પણ કેવી રીતે શકે તે બાબત યક્ષ પ્રશ્ન બની ગઇ છે. બી ડીવીઝન પોલીસને બનાવની જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. બાળકીના મૃતદેહને રાત્રે 108 ધ્વારા હિમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ બી-ડીવીઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી હત્યા કે આત્મહત્યા છે તેની તપાસ હાથ ધરી હતી. જોકે, હિંમતનગરમાં નવ વર્ષની બાળકી મોત હજુ અકબંધ છે. આ બાળકીએ આત્મહત્યા કરી છે કે પછી હત્યા થઈ છે તે હવે પોલીસ તપાસમાં બહાર આવશે.

Next Story