પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની મહાકાળી માતાના મંદિર પરિષદમાં હોળી પ્રગટાવવામાં આવી
BY Connect Gujarat Desk6 March 2023 4:26 PM GMT
X
Connect Gujarat Desk6 March 2023 4:26 PM GMT
પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢના ડુંગર પર બિરાજમાન જગતજનની મહાકાળી માતાના મંદિર પરિષદમાં હોળી સાંજે 6:45 કલાકે શાસ્ત્રોત વિધિવત રીતે હોળીને પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ 50 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામમાં હોળીને પણ પ્રગટાવવામાં આવી હતી. ભક્તો દ્વારા વાતાવરણની શ્રુધી અર્થે હોળીમાં ધૂપ તેમજ કપૂરની ગોટીઓ પધરાવવામાં આવી હતી.
જ્યારે નાના બાળકોને શીતળા હોળી પધારેલા હોય તે માટે માન્યતા રાખેલા લોકોએ ગાયના છાણમાંથી બનાવેલ મેડમ એરિયાનો હાઇડા બનાવી હોળીમાં પધરાવ્યા હતા.પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગત જનની મહાકાળી માતાના મંદિર પરિષદમાં હોળી પ્રગટાવવામાં આવી અને લોકોએ હોળીની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી જ્યારે આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ અને ભકતો હાજર રહ્યા હતા
Next Story