PM મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી, ગુજરાતના 74 TT કેન્દ્રો પર એક સાથે ટેબલ ટેનિસની પ્રવૃત્તિમાં ખેલાડીઓ ઉત્સાહભેર જોડાયા...

Featured | સમાચાર , વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત

New Update

PM નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણી કરાય

GSTTA દ્વારા કરાયું ટેબલ ટેનિસની પ્રવૃત્તિનું આયોજન

રાજ્યના 74 ટેબલ ટેનિસ કેન્દ્રો પર ખેલાડીઓ જોડાયા

એક સાથે ટેબલ ટેનિસ રમતની પ્રવૃત્તિઓનું આયોજન

વિવિધ સ્લોગનો સાથે ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનએ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સાથે મળીને રમત પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરના 74 કેન્દ્રોમાં ટેબલ ટેનિસ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. જેમાં ગુજરાતના ટોચના શહેરો અમદાવાદસુરતવડોદરાજામનગરગાંધીધામથી માંડીને મોડાસારાજકોટભાવનગરડીસાનવસારીગણદેવી સહિત અન્ય શહેરોના ખેલાડીઓએ ખાસ ડીઝાઈન કરેલી ટી-શર્ટ કેજેના પર યુનાઈટેડ ફોર નેશનયુનાઈટેડ ફોર ટેબલ ટેનિસસ્લોગનને પહેરી ટેબલ ટેનિસ પ્રવૃત્તિમાં ઉત્સાહભેર જોડાયા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.