જામનગર: આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું કરાયુ આયોજન

જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update
જામનગર: આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું કરાયુ આયોજન

જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા 108 દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 108 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા

જામનગર આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા બજાજ પરિવારના મધ્યમથી શહેરના ગુલાબનગર પાસે આવેલ રામબાગ જગ્યામાં 15માં 108 સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આણદાબાવા આશ્રમના મહાસિધ્ધ્શ્રી આણદાબાવાજી મહારાજની સમાધિને 250 વર્ષ પૂર્ણ થતાં હોય સંસ્થા દ્વારા બજાજ પરિવારના માધ્યમથી 108 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ સમૂહલગ્નમાં કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર 42 જેટલી સર્વે જ્ઞાતિની દીકરીઓના લગ્ન કરવવામાં આવ્યા હતા ઉપરાંત માત્ર જામનગર જ નહીં પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, બિહાર અને ઓરિસ્સા રાજ્યમાંથી પણ દીકરીઓ લગ્ન માટે અહી આવી હતી આણદાબાવા આશ્રમ સેવા સંસ્થા દ્વારા અત્યારસુધીમાં 2500 હિન્દુ અને 150થી વધુ મુસ્લિમ સમાજની દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે ઉપરાંત જે ગરીબ અને જરૂરિયાતમંદ માતપિતા પોતાની દીકરીના લગ્ન કરાવવા માંગતા હોય તેને પણ તમામ જાતની મદદ સંસ્થા દ્વારા કરવામાં આવે છે

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.