જામનગર : દુબઈ થીમ પાર્ક સાથેના મનોરંજન મેળાનો સાંસદ-ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો...

જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે.

New Update
જામનગર : દુબઈ થીમ પાર્ક સાથેના મનોરંજન મેળાનો સાંસદ-ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો...

જામનગર શહેરમાં સૌપ્રથમ વખત દુબઈની થીમ પાર્ક સાથેના ભવ્ય મનોરંજન મેળાનો પ્રારંભ કરાયો છે. સતત દોઢ મહિના સુધી ચાલનારા મનોરંજન મેળાને જામનગર જિલ્લાના સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિમલ કગથરા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી મનોરંજન મેળો ખુલ્લો મુક્યો હતો.


જામનગરના ઉત્સવ પ્રેમી નગરજનો માટે શહેરના પ્રદર્શન મેદાન ખાતે દુબઈની થીમ પાર્ક સાથેના મનોરંજન મેળાનો પ્રારંભ થયો છે, અને લોકોનો પણ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જામનગર જિલ્લાના સાંસદ પૂનમ માડમ ઉપરાંત જામનગરના ૭૮-ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, ૭૯-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપના મહામંત્રી પ્રકાશ બાંભણીયા તથા વિજયસિંહ જેઠવા સહિતના મહાનુભાવોના હસ્તે મેળો ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં દુબઈના પ્રખ્યાત બુર્જ-અલ-ખલીફા તથા અન્ય વિવિધ ઇમારતો તેમજ લંડન બ્રિજ, મલેશિયાના ટ્વીન ટાવર સહિતના અલગ અલગ બિલ્ડીંગના સ્ટેચ્યુ ઊભા કરાયા છે, જેની સાથે શહેરીજનોએ સેલ્ફી પડાવી મેળાનો આનંદ માણ્યો હતો. આ ઉપરાંત મશીન મનોરંજનની વિવિધ રાઇડ જેમાં મારુતિ મોતનો કૂવો, ઓક્ટોપસ, જોઈન્ટ વ્હીલ, ક્રોસ વ્હીલ, ટોરા ટોરા, બ્રેકડાન્સ સહિતની રાઈડો તેમજ જામનગરમાં સૌપ્રથમ વખત આવેલી ટાવર રાઈડ, મિક્સર રાઈડ, ડેસિંગ કાર સહિતની નિત નવી રાઈડનો પણ શહેરિજનો આનંદ માણી રહ્યા છે. દેશ ભરના અલગ અલગ રાજ્યોની પ્રખ્યાત એવી ચીજ વસ્તુઓ, રમકડાના સ્ટોલ વગેરે પણ ઉભા કરાયા છે. જેની ખરીદી માટે પણ શહેરીજનોમાં ઉત્સાહ જણાય છે. રાજકોટના 'રોયલ મેલા'ના મુખ્ય સંચાલક હરીશ તુરખીયા, નિલેશ તુરખીયા અને અને તેમની ટીમના ચિરાગભાઈ, પરાગભાઈ વગેરે દ્વારા સમગ્ર આયોજન કરાયું છે, અને જામનગરના ઓર્ગેનાઈઝર સંજય જાની, શબીર અખાણી સહિતની ટીમ દ્વારા મેળાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરના મેયર બીના કોઠારી, શાસક જૂથના નેતા કુસુમ પંડ્યા, શહેર ભાજપ મહામંત્રી મેરામણ ભાટુ, શહેર ભાજપ અગ્રણી જીતુ લાલ સહિતના મહાનુભાવોએ શુભેચ્છા પાઠવી હતી.

Read the Next Article

વાહનચાલકો આનંદો: એક્સપ્રેસ હાઇવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે,કનેક્ટ ગુજરાતની ટીમે કર્યું નિરીક્ષણ

દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે

New Update
  • વાહનચાલકો માટે મહત્વના સમાચાર

  • એક્સપ્રેસ હાઇવે સુરત સુધી થશે શરૂ

  • ભરૂચથી સુરત સુધીનો માર્ગ ખુલ્લો મુકાશે

  • તંત્ર દ્વારા કામગીરીને અંતિમ ઓપ અપાયો

  • ગણતરીની મિનિટોમાં સુરત પહોંચી શકાશે

વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી સુરત સુધી ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે જેની કામગીરીને તંત્ર દ્વારા આખરીઓપ આપવામાં આવી રહ્યો છે
8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે આડેના અંતરાયો જેમ જેમ દૂર થઈ રહ્યા છે એમ એમ કામમાં પ્રગતિ આવી રહી છે. આ પ્રોજેક્ટના 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં છે. જેમાં ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે એક્સપ્રેસ હાઈવેની કામગીરી અટકી પડી હતી. જોકે સમયાંતરે આ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે ત્યારે હવે નજીકના દિવસોમાં એક્સપ્રેસવેનો ભરૂચથી સુરત સુધીનો ભાગ પણ કાર્યાન્વિત થઈ જાય તેવી આશા નજરે પડી રહી છે.
આજરોજ કનેક્ટ ગુજરાતની ટીમે એક્સપ્રેસ હાઈવેનું નિરીક્ષણ કર્યું હતું જ્યાં ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર અત્યાધુનિક બ્રિજનું નિર્માણ પૂર્ણ થઈ ચૂક્યું છે તો અંકલેશ્વર તરફના માર્ગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અમારી ટીમ જ્યારે એક્સપ્રેસ હાઈવે પર હતી ત્યારે એક કાર ચાલક સુરત તરફથી ભરૂચ તરફ આવી રહ્યા હતા ત્યારે તેમની સાથે વાત કરતા તેમણે આ સફરને ખૂબ જ સુખદ ગણાવી હતી.
એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી સુરત તરફનો ભાગ શરૂ થતા જ વાહનચાલકોનો કીમતી સમય પણ બચશે. તો આ તરફ ભરૂચ શહેરમાં પણ ટ્રાફિકજામની પરિસ્થિતિમાં રાહત મળી શકે છે. કારણ કે હમણાં એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચ શહેરમાં થઈને નેશનલ હાઇવે નંબર 48 અથવા નર્મદા મૈયા બ્રિજનો ઉપયોગ કરીને અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહ્યા હતા એક્સપ્રેસ હાઈવેનો આ ભાગ કાર્યરત થતાં તેઓ સીધા જ સૂરત જઈ શકશે.