જામનગર : દગડું શેઠ ગણેશ મંડળ દ્વારા "માટી બચાવો" થીમ આધારિત ઇકો ફ્રેંડલી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

છોટીકાશીથી જાણીતા જામનગરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્શ્શોલ્લાસથી ઉજવાય છે, ત્યારે આગામી ગણેશોત્સવની જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

New Update
જામનગર : દગડું શેઠ ગણેશ મંડળ દ્વારા "માટી બચાવો" થીમ આધારિત ઇકો ફ્રેંડલી શ્રીજીની પ્રતિમાનું નિર્માણ

છોટીકાશીથી જાણીતા જામનગરમાં અનેક ધાર્મિક તહેવારો ભારે હર્શ્શોલ્લાસથી ઉજવાય છે, ત્યારે આગામી ગણેશોત્સવની જામનગરમાં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં શહેરના દગડું શેઠ ગણેશ મંડળ દ્વારા આ વર્ષે "સેવ સોઇલ" થીમ આધારિત ગણપતિની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે.

આગામી ગણપતિ મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે જામનગરના કડિયાવાડ શેરીમાં શ્રી દગડું શેઠ ગણપતિ મહોત્સવ મંડળ દર વર્ષે અનોખા પ્રકારના આયોજનો માટે જાણીતું છે. આ વર્ષે દગડું શેઠ ગણપતિ મંડળ દ્વારા જે ગણપતિની પ્રતિમા બનાવવામાં આવી રહી છે, તે સંપૂર્ણ ઇકો ફ્રેંડલી બનાવવામાં આવી છે. તેમજ હાલ ભારતભરમાં માટી બચાવો અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે મંડળ દ્વારા માટી બચાવો થીમ પર સંપૂર્ણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભગવાન ગણેશજીની પ્રતિમા કંતાન, સફેદ કાપડ, ઘઉં, ચોખા, બાજરી, મકાઇ અને જુવાર જેવા 5 અલગ અલગ ધાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. આ ઉપરાંત દગડું શેઠ મંડળને અગાઉ 8 વખત ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પણ મળી ચૂક્યું છે.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.