Connect Gujarat
ગુજરાત

જામનગર : રૂપિયાની લેતીદેતીમાં રેસ્ટોરન્ટના સંચાલકો પર જીવલેણ હુમલો, 5 શખ્સોની ધરપકડ

જામનગરના બેડી નાકા વિસ્તારમાં આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલકો પર જીવલેણ હુમલો કરનાર 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

X

જામનગરના બેડી નાકા વિસ્તારમાં આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલકો પર જીવલેણ હુમલો કરનાર 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના બેડી નાકા વિસ્તારમાં આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલકો દર્શનભાઈ અને જીજ્ઞેશભાઈ ઉપર ગત તારીખ 7મી જુનની રાત્રીએ 5 શખ્સો દ્વારા હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ હોટલ સંચાલકોને તાત્કાલિક 108 ઇમરજન્સીની મદદથી જામનગરની ગુરુ ગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે CCTVની મદદથી હુમલામાં સામેલ 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયાની લેતીદેતીમાં જીવલેણ હુમલો કરાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Next Story