જામનગર : રૂપિયાની લેતીદેતીમાં રેસ્ટોરન્ટના સંચાલકો પર જીવલેણ હુમલો, 5 શખ્સોની ધરપકડ

જામનગરના બેડી નાકા વિસ્તારમાં આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલકો પર જીવલેણ હુમલો કરનાર 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
જામનગર : રૂપિયાની લેતીદેતીમાં રેસ્ટોરન્ટના સંચાલકો પર જીવલેણ હુમલો, 5 શખ્સોની ધરપકડ

જામનગરના બેડી નાકા વિસ્તારમાં આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલકો પર જીવલેણ હુમલો કરનાર 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર શહેરના બેડી નાકા વિસ્તારમાં આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલકો દર્શનભાઈ અને જીજ્ઞેશભાઈ ઉપર ગત તારીખ 7મી જુનની રાત્રીએ 5 શખ્સો દ્વારા હથિયારો સાથે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા બાદ હોટલ સંચાલકોને તાત્કાલિક 108 ઇમરજન્સીની મદદથી જામનગરની ગુરુ ગોવિંદસિંગ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે CCTVની મદદથી હુમલામાં સામેલ 5 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રૂપિયાની લેતીદેતીમાં જીવલેણ હુમલો કરાયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

Read the Next Article

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર,શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી

જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

New Update
12th Result

રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન,2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ'X'પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે,જૂન-જુલાઈ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ,2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટgseb.orgપર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.

Latest Stories