જામનગર: જિલ્લામાં કોરોનાથી ચાર હજારથી વધુ લોકોના મોત; મૃતકોના પરિજનોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસની માંગ

જામનગર ખાતે કોંગ્રેસે યોજી પત્રકાર પરિષદ, જિલ્લામાં કોરોનાથી સાડા ચાર હજારથી વધુ મોત.

New Update
જામનગર: જિલ્લામાં કોરોનાથી ચાર હજારથી વધુ લોકોના મોત; મૃતકોના પરિજનોને 4 લાખની સહાય આપવા કોંગ્રેસની માંગ

જામનગરમાં કોંગ્રેસની ન્યાયયાત્રા દરમિયાન સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા. જામનગરમાં કોરોના ન્યાય યાત્રાનો સારાંશ રજૂ કરવા માટે જામનગર કોંગ્રેસે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં કોરોના મૃતકોના પરિજનોને રૂપિયા 4 લાખનું વળતર આપવાની માગણી કરવામાં આવી છે.

કોવિડ ન્યાય યાત્રાનો અહેવાલ રજૂ કરતાં ધારાસભ્ય વિક્રમ માડમે જણાવ્યું હતું કે, સરકાર અસત્યનો સહારો લઇને પોતાની જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ કરી રહી છે. એકલા જામનગર જિલ્લામાં જ કોરોનાના કારણે સાડા ચાર હજારથી વધુ લોકોના મોત થયા હોવા છતાં સરકારી ચોપડે માત્ર 207 મોત જ જાહેર કરવામાં આવ્યા છે. સુપ્રિમકોર્ટમાં સરકારે કોરોના મૃતકોના પરિજનોને રૂપિયા 50,000નું વળતર આપવા જણાવ્યું છે. માનવીના જીવન સામે આ રકમ ખૂબ જ અલ્પ છે.

પરિજનો મુશ્કેલીના સમયમાં જીવન નિર્વાહ કરી શકે તે માટે ઓછામાં ઓછું 4 લાખનું વળતર મળવું જોઇએ તેવી કોંગ્રેસની માગણી છે. આ માગણીને લઇને કોંગ્રેસ દ્વારા સતત લડત ચલાવવામાં આવી રહી છે અને આગામી સમયમાં પણ લડત ચાલુ રહેશે. સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં 1000થી વધુ મૃતક પરિવારના ફોર્મ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભરવામાં આવ્યા છે.

Read the Next Article

ભરૂચ: સી ડિવિઝન પોલીસે નર્મદા નદી કીનારે જુગાર રમતા 6 જુગારીઓની કરી ધરપકડ, રૂ.38 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગુલબીના ટેકરાનીચે નર્મદા નદી કિનારે આવેલાં જાહેર શૌચાલય પાસે કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની

New Update
Screenshot_2025-07-11-17-57-14-35_439a3fec0400f8974d35eed09a31f914

ભરૂચ સી ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ગુલબીના ટેકરાનીચે નર્મદા નદી કિનારે આવેલાં જાહેર શૌચાલય પાસે કેટલાંક શખ્સોએ જાહેરમાં જુગારની મહેફિલ જમાવી છે. જેના આધારે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડતાં જુગારિયાઓમાં નાસભાગ થઇ હતી. જોકે, ટીમે 6 જુગારિયાઓને ઝડપી પાડ઼યાં હતાં.

જેમાં તેમના નામ જશવંત ગણેશ વસાવા, ઇમરાન ઇકબાલ મન્સુરી, અર્જુન વીનુ ઓડ, હિતેશ કનુ વસાવા, જયંતિ નાનસંગ રાઠોડ તેમજ રોહન રાજેશ વસાવાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં.પોલીસે જુગારિયાઓની અંગ જડતીમાાંથી તેમજ દાવપર લાગેલાં રૂપિયા મળી કુલ 13 હજારથી વધુની રોકડ તેમજ 5 મોબાઇલ મળી કુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટીમે તમામ જુગારિયાઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories