/connect-gujarat/media/post_banners/05c078a0d1c838a91f3a201a9b22cfbaadb151c81aa8978798565735ec944859.webp)
જામનગરના હરિપર ગામે ખાતે નિર્માણ પામેલ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10મી ઓક્ટોબરે જામનગરના હરિપર ગામ ખાતે મેગા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. રુપિયા 176 કરોડથી વધુના ખર્ચે નિર્મિત આ 40 મેગાવોટના સોલાર પાવર પ્લાન્ટ માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં અમલમાં મૂકવામાં આવ્યો છે. GSECL દ્વારા હરીપર ગામની સરકારી ખરાબાની પથરાળ જમીન પર આ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટથી દર વર્ષે 105 મિલિયન યુનિટથી વધુ વીજ ઉત્પાદન થશે. સાથે જ 84 મેટ્રીક ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો પણ થશે