જામનગર:RSS દ્વારા નારદ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન સમારોહ યોજાયો,સંઘ શિક્ષા વર્ગની પણ લેવામા આવું મુલાકાત

જામનગરના ધ્રોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગની મુલાકાત કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો

New Update
જામનગર:RSS દ્વારા નારદ જયંતિ નિમિત્તે પત્રકાર મિલન સમારોહ યોજાયો,સંઘ શિક્ષા વર્ગની પણ લેવામા આવું મુલાકાત

જામનગરના ધ્રોલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નારદ જયંતિ નિમિતે પત્રકાર મિલન અને સંઘ શિક્ષા વર્ગની મુલાકાત કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ૨૫૦ થી વધુ સ્વંયસેવકો જોડાયા હતા.

જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે નારદ જયંતિના સંદેશ રૂપ આદિ પત્રકાર એવા નારદજીના જીવન અને સંદેશ વ્યવહારમાં આદિકાળથી તેમની ભૂમિકા અને તેમના દ્વારા સ્થાપિત આદર્શોના પુનઃ સ્મરણ કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પત્રકાર મિલન યોજાયું હતું.આ સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જીલ્લાઓમાથી મહાવિદ્યાલય અને વ્યવસાયી સ્વયંસેવકો સંઘના પ્રથમ વર્ષના 20 દિવસીય અભ્યાસ વર્ગની તપ સાધન માં જોડાયા તેનું પ્રત્યક્ષ દર્શન કરવાં માટે પત્રકાર બંધુઓને આમંત્રીત કરાયા હતા.આ વર્ગમાં શારીરિક,બૌદ્ધિક અભ્યાસ,યોગ,સમાજ સેવા,સંસ્કૃત,સ્વદેશી તથા વિવિધ લોક ઉપયોગી વિષયો માટેના પ્રબોધન થતા પ્રાયોગિક અભ્યાસની વ્યવસ્થા હોય છે. દરેક શીક્ષાર્થી, શિક્ષક તથા પ્રબંધક સ્વ ખર્ચે,નિશ્ચિત શુલ્ક આપીને વર્ગમાં ભાગ લે છે.

Read the Next Article

સુરેન્દ્રનગર : ખેડૂતોના પ્રશ્નો અંગે કલેકટર કચેરી સુધી રેલી યોજાઈ,રોડ પર ધરણા બાદ કચેરીનો ઘેરાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

New Update

કોંગ્રેસ દ્વારા ખેડૂત પ્રશ્નો અંગે કલેકટર કચેરીનો ઘેરાવ

ખેડુત અધિકાર યાત્રાનું કરાયું આયોજન

રોડ પર ધરણા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ

ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે કરાય માંગ

કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કરી ઉગ્ર રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ખેડૂત અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો જોડાયા હતા.ખેડૂતોના પાક વળતરપ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો લાભઅને પશુપાલકોને પોષણ સમભાવ સહિતની મુખ્ય માંગણીઓ સાથે આ આંદોલન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ખેડૂત આગેવાન વિક્રમ રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે જોડાયા હતા.

આ રેલી સુરેન્દ્રનગરના રાજપટલ પાસે આવેલા આંબેડકર ચોકથી શરૂ થઈને કલેક્ટર કચેરી સુધી યોજાઇ હતી. કલેકટર કચેરી પાસે પહોંચીને પ્રદર્શનકારીઓ એ રસ્તા પર બેસીને ધરણાં કર્યા હતા અને સરકાર પર ખેડૂતોનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.આંદોલનકારીઓએ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી હતી. જો આગામી સમયમાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.