જામનગર : આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ દ્વારા વીર હિન્દુ વિજેતા અભિયાન શરૂ કરાશે,પ્રવીણ તોગડિયા દ્વારા બેઠકનું આયોજન
જામનગરમાં રહેતા કાર્યકરના ઘરની મુલાકાત લેવામાં આવી હતી અને બેઠક યોજી વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk7 May 2022 6:04 AM GMT
X
Connect Gujarat Desk7 May 2022 6:04 AM GMT
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા દ્વારા જામનગરમાં રહેતા કાર્યકરના ઘરની મુલાકાત લેવામાં આવી હતી અને બેઠક યોજી વિવિધ બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રમુખ ડો. પ્રવીણ તોગડિયા દ્વારા જામનગરની ટૂંકી મુલાકાત લેવામાં આવી હતી અને જામનગરના જલાની જાર વિસ્તારમાં રહેતા ઉપેન્દ્ર ત્રિવેદીના ઘરે કાર્યકરો સાથે બેઠક યોજી આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં રાષ્ટ્રીય પ્રવીણ તોગડિયાએ જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં દેશના 2 કરોડ યુવાનોને ત્રિશુળ આપી વીર હિન્દુ વિજેતા અભિયાન, રાષ્ટ્રીય સ્વરોજગાર ફોરમ અને યુવાનોનો પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવામાં આવશે જે બાબતે આયોજન ઘડવામાં આવી રહ્યું છે
Next Story