જુનાગઢ : ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ખાનગી બેન્કનો ભેજાબાજ કર્મચારી ઝડપાયો...

બેન્કના કર્મચારીએ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે આરોપી એવા બેન્ક કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New Update
જુનાગઢ : ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર ખાનગી બેન્કનો ભેજાબાજ કર્મચારી ઝડપાયો...

જુનાગઢ શહેરની ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે આરોપી એવા બેન્ક કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જુનાગઢ શહેરના રાજલક્ષ્મી રોડ પર આવેલ ખાનગી બેન્કના કર્મચારી રાજ મણિયારે બેન્કના જ ગ્રાહક સાથે રૂપિયા 15.25 લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ફરીયાદી ગ્રાહકે બેન્ક કર્મચારી નયન સૌસાણી પાસે અલગ અલગ સમયે રૂપિયા 15.25 લાખની ફીક્સ ડિપોઝિટ જમા કરાવી હતી. જેમાં વ્યાજ સાથેની રકમ રૂ. 18.28 લાખ જેટલી થતી હતી. જોકે, આરોપી બેન્ક કર્મચારીએ ફરીયાદીના મોબાઈલમાંથી નેટ બેન્કિંગ મારફતે ફીક્સ ડિપોઝિટ તોડીને તે રકમ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધી હતી. એટલું જ નહીં, આરોપીએ બેન્ક એકાઉન્ટ મેન્ટેનન્સ ચાર્જ ભરવો ન પડે તેવું બહાનું બતાવીને ફરીયાદી ગ્રાહક પાસેથી સહીવાળો ચેક પણ મેળવી લીધો હતો. તો બીજી તરફ, ગ્રાહકે છેતરપિંડી આચારનાર બેન્ક કર્મચારી રાજ મણિયાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે ઉચાપત કરવાના મામલે પોલીસે બેન્ક કર્મચારી રાજ મણિયારની ધરપકડ છે. આરોપીએ છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ ખાતા ધારકોના ખાતામાંથી 83 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે આરોપી રાજ મણિયાર દેવામાં આવી ગયો હોવાથી ઉચાપત કરતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.

Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.